ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો સરકાર છુપાવી રહી છે. સરકારી ચોપડે નોધાતા મૃત્યુ અને શબવાહીની દ્વારા સ્મશાને પહોચાડાતા મૃતદેહોના આંકડામાં બહુ મોટો તફાવત સામે આવ્યો છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો, છેલ્લા 25 દિવસમા સરકારી ચોપડે માત્ર 101 કોરોનાના દર્દીના મોત નિપજ્યા હોવાનું બોલાય છે. જ્યારે અમદાવાદના વિવિધ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની સંખ્યા 235 બોલાઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડાઓ ઓછા બતાવવામાં આવી રહ્યાં છે ? ઓછા આંકડાઓ દર્શાવવાથી કોની નિષ્ફળતા ઢંકાઈ જશે ? કેમ સરકાર તેની જનતાને સાચુ નથી જણાવતી ? કોના કહેવાથી કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડાઓ છુપાવાઈ રહ્યા છે ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો