અમદાવાદમાં કોરોનાના દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવતા હોવાની પોલ ચાંદખેડાના મહિલા કોર્પોરેટરે ખુલી પાડી છે. ચાંદખેડાના શ્યામ બંગલોઝમાં કોરોનાના કુલ 31 કેસ હોવા છતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) ચોપડે માત્ર 10થી 12 જ કેસ હોવાનુ દર્શાવાઈ રહ્યુ હોવાનું કોર્પોરેટરનું કહેવુ છે.
શ્યામ બગ્લોઝને 10થી 12 કેસ હોવાનું ધ્યાને લઈને મહાનગરપાલિકાએ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. ત્યારે ચાંદખેડાના મહિલા કોર્પોરેટરે દાવો કર્યો છે કે, શ્યામ બંગલોઝમાં કુલ 31 કેસ છે. જેમાંથી 20થી વધુ લોકોએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યુ છે. જો સાચા આંકડા એએમસી પાસે ના હોય તો લેબોરેટરીએ AMCને રિપોર્ટીગ કર્યુ છે કે નહી તે સવાલ છે.
કોરોનાના કેસ ઓછા નોંધાયા હોવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને લેખિતમાં ધ્યાન દોર્યુ છે કે, ક્યાક તંત્રની કે લેબોરેટરીની મોટી ચૂંક રહી જવા પામી છે. જેના કારણે કોરોનાના દર્દીઓનો સાચો આંકડો બહાર નથી આવતો. આ કિસ્સામાં જે કોઈ બેજવાબદાર સાબિત થાય તેની સામે પગલા ભરવા અને આવી ચૂક ના રહે તે માટે જરૂરી પગલા ભરવા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો