Local Body Polls 2021: ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાવળામાં જાહેરસભા સંબોધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, કોંગ્રેસ ઉપર વાક પ્રહાર કરતા કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને આઠ કલાક વિજળી અને સમયસર પાણી મળે તે જરૂરી છે. કોંગ્રેસના 45 વર્ષના શાસનમાં, ખેતી તો ઠીક પિવાનું પાણી પણ નહોતુ મળતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના ઘડી અને ગામડામાં 24 કલાક વિજળી આપી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની જનતાને પારાવાર મુશ્કેલી પડતી હતુ. આજે ભાજપના શાસનમાં ગુજરાતની પ્રજાને પાણી. વિજળી, બસ, રોજગારી સહીતની સુવિધાઓ મળી રહી છે. ભાજપના શાસનને ગુજરાતના છ શહેરી વિસ્તારોમાં, શહેરીજનોએ ગઈકાલે જ ચૂકાદો આપી ચૂક્યા છે.
Published On - 3:12 pm, Wed, 24 February 21