ગુજરાતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર સરકાર ચિંતીત છે. કેન્દ્રના આરોગ્ય વિભાગના ત્રણ અધિકારીઓ ગુજરાત આવી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં વિવિધ હોસ્પિટલમાં જઈને દર્દીઓને અપાતી સેવા બાબતે તબીબો સાથે વિચાર વિમર્શ કરશે. ત્યાર બાદ તેઓ સરકાર અને મુખ્યસચિવ સાથે ચર્ચા વિચારણા કરશે. જો કે હાલ આ બાબતે સત્તાવાર કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. પરંતુ એવુ કહેવાયું છે કે, ગુજરાત સહત જ્યા જ્યા કોરોનાના કેસ વધ્યા છે ત્યા સમિક્ષાઅર્થે કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓ રૂબરુ થઈને જરૂરી કાર્યવાહી કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો