RMCમાં આવતી લોકોની ફરિયાદોનું નિરાકરણ સમયસર કરવું પડશે, નવી હેલ્પલાઇન કરાઇ શરૂ

|

Sep 23, 2021 | 6:31 PM

આ સેવા થકી અરજદાર મનપાના ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર ફોન કરી શકશે.અરજદારની ફરિયાદના(Complaint) આધારે તેનું નિયત સમયમાં નિવારણ થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગના અધિકારીની રહેશે.

RMCમાં આવતી લોકોની ફરિયાદોનું નિરાકરણ સમયસર કરવું પડશે, નવી હેલ્પલાઇન કરાઇ શરૂ
Complaints of people coming to RMC have to be resolved in time, a new helpline has been started

Follow us on

રાજકોટ (RAJKOT)મહાનગરપાલિકામાં હવે તમે ફરિયાદ કરશો તો કર્મચારીઓએ નિયત સમયમાં આ ફરિયાદનું નિરાકરણ લાવવું પડશે અને જો ફરિયાદનું નિરાકરણ નહિ આવે તો ઓટોમેટીક ઉપરી અધિકારી સુધી આ ફરિયાદ પહોંચી જશે.જીહા, રાજકોટ મહાનગરપાલિકા(Corporation) દ્રારા આજે પીન આધારીત ફરિયાદ નિવારણ સેવાનો પ્રારંભ કર્યો છે.

આ સેવા થકી અરજદાર મનપાના ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર ફોન કરી શકશે.અરજદારની ફરિયાદના(Complaint) આધારે તેનું નિયત સમયમાં નિવારણ થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગના અધિકારીની રહેશે.જો અધિકારી દ્રારા નિયત સમયમાં આ ફરિયાદનું નિવારણ કરવામાં નહિ આવે તો મ્યુનિસિપલ કમિશનર સુધી આ ફરિયાદ ઓટોમેટિક પહોંચી જશે.

કઇ ફરિયાદ માટે કેટલો સમય

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખાધ પદાર્થોની ફરિયાદ- 24 કલાકમાં
કચરા સફાઇની ફરિયાદ-24 કલાકમાં
ભુગર્ભ ગટર,ગંદા પાણીની ફરિયાદ-36 થી 48 કલાકમાં
ઓછા ફોર્સથી પાણી 24 કલાકમાં
પાણી નહિ મળવાની ફરિયાદ 48 કલાકમાં
ગંદાપાણીના નિકાલની ફરિયાદ એક સપ્તાહમાં ઉકેલવામાં આવશે.

ફરિયાદીને એક પીન મળશે જે એડ કરશે તો જ ફરિયાદનો નિકાલ ગણાશે

આધુનિક પધ્ધતિથી સજ્જ આ સુવિધામાં ફરિયાદનું (Complaint) નિવારણ થયા બાદ ફરિયાદીને એક પીન આપવામાં આવશે.ફરિયાદી સબંધિત અધિકારીને પોતાની ફરિયાદનું નિરાકરણ થયું છે તે અંગેનો પીન આપશે અને અધિકારી સિસ્ટમમાં આ પીન એડ કર્યા બાદ જ તેની ફરિયાદનો નિકાલ ગણાશે એટલે કે ફરિયાદી પોતે તેની ફરિયાદના નિકાલની ખરાઇ કર્યા બાદ જ માન્ય ગણાશે.

લોકોની સુખાકારીમાં વધારો થશે-મેયર

આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે લોકોની સુખાકારીમાં વધારો થાય અને તેના પ્રશ્નોનું જલદી નિરાકરણ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિસ્ટમમાં જે તે વિભાગની કામગીરી પણ જોઇ શકાશે અને જ્યાં સુઘારો કરવાની જરૂર છે તે પણ કરી શકાશે.ફરિયાદી પોતાના કામ થયા બાદ રેટીંગ પણ આપી શકશે જેના આધારે પણ મૂલ્યાંકન કરી શકાશે.

હાલ તો આ સેવાને લઇને લોકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : રાજકોટ-મોરબી જિલ્લાના ખેડૂતો માટે 0 ટકાના વ્યાજે 1 લાખની લોન જાહેર કરતી જિલ્લા બેંક, જયેશ રાદડિયાની મહત્વની જાહેરાત

આ પણ વાંચો : Corona Vaccine: અમેરિકામાં 12-17 વર્ષના 56 ટકા બાળકોને લાગ્યો વેક્સિનનો પહેલો ડોઝ, ભારતમાં આવતા મહિને રસીકરણ શરૂ થાય તેવી શક્યતા

Published On - 6:27 pm, Thu, 23 September 21

Next Article