છોટાઉદેપુર: નસવાડી CSC હોસ્પિટલનો તબીબ ચાલુ ફરજે અંગત કામે બહાર, મૃત દર્દીને બીજે રિફર કરાતા પરિવારજનોનો હલ્લાબોલ

|

Jan 28, 2023 | 10:23 AM

સમયસર યોગ્ય સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો દર્દીના સગાનો આક્ષેપ છે.ચોરામલ ગામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.

છોટાઉદેપુર: નસવાડી CSC હોસ્પિટલનો તબીબ ચાલુ ફરજે અંગત કામે બહાર, મૃત દર્દીને બીજે રિફર કરાતા પરિવારજનોનો હલ્લાબોલ
Nasvadi CSC Hospital

Follow us on

છોટાઉદેપુરના નસવાડીમાં CSC હોસ્પિટલમાં વૃદ્ધનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.તબીબની બેદરકારીના કારણે વૃદ્ધનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. સમયસર યોગ્ય સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો દર્દીના સગાનો આક્ષેપ છે.ચોરામલ ગામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.પરંતુ દાખલ કર્યા પછી દોઢ કલાક બાદ તબીબ તપાસવા આવ્યા હોવાનું પરિવારજનોનું કહેવું છે. હોસ્પિટલમાં ફરજ પરનો તબીબ ગેરહાજર હતો.

વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા

બીજી તરફ મૃત દર્દીને 108 મારફતે અન્ય હોસ્પિટલ રીફર કરવાનું કહેતા મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ ડોક્ટરે પણ પોતાની ભૂલ સ્વીકારી. અને કહ્યું ચાલુ નોકરીએ અંગત કામથી બહાર ગયો હોવાની કબુલાત કરી હતો.

તો આ તરફ અમદાવાદ કોર્પોરેશને મુન્નાભાઈઓ પર સપાટો બોલાવ્યો છે. શહેરના હાઈ રિસ્ક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતુ. મનપાની આરોગ્ય ટીમે નારોલ અને લાંભામાં બોગસ ડીગ્રી અને ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો સામે તવાઈ બોલાવી હતી. ચેકિંગ સમયે અત્યારસુધીમાં લગભગ 8 ક્લિનિક સીલ કરાયા હતા. જાણીતા ડોક્ટરોના નામ લગાવીને બોગસ પ્રેક્ટિસ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બોગસ તબીબો હોમિયોપેથીના સર્ટિફિકેટ ઉપર એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા. એક કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ બોગસ ક્લિનિક જોવા મળ્યા હતા. આગામી સમયમાં ધારા ધોરણો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓ સીલ કરાશે. કોર્પોરેશનની કાર્યવાહીના પગલે મુન્નાભાઈઓમાં ફફડાટ ફેલાયો હતો.

Next Article