છોટા ઉદેપુર( Chhota Udepur ) )ની નસવાડી તાલુકાની પ્રાથમિક શાળા(School) ના 13 દિવસ બાદ તાળાં ખૂલ્યા હતા. જેમાં આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી. જો કે માંગ ન સંતોષતા ગામ લોકોએ 13 દિવસ પૂર્વે આ શાળા પર તાળા મારી દીધાં હતા. આ વાત રાજયના શિક્ષણ પ્રધાન સુધી પહોંચતા ત્રણે શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જેના લીધે વાલીઓમાં સંતોષ છે. જેના પલગે વાલીઓએ આજે શાળા પર લગાવેલા તાળાં ખોલી નાખ્યા હતા.
આ પણ વાંચો : જાણો શા માટે 2021માં થનારા ઓલિમ્પિકને Tokyo Olympics 2020 કહેવાય છે ?
આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ
Published On - 4:31 pm, Fri, 30 July 21