Breaking News : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, ગુરુવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે

|

Apr 05, 2023 | 8:32 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. જ્યારે તેવો ગુરુવારે સવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે

Breaking News : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, ગુરુવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે
Amit Shah Gujarat Visit

Follow us on

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. જ્યારે તેવો ગુરુવારે સવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે. છ એપ્રિલના રોજ અમિત શાહના આ ગુજરાત પ્રવાસ દરમિયાન સાળંગપુર અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સાળંગપુરમાં વારંવાર દર્શન કરવા માટે જતા હોય છે. તેઓ અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે.

અમદાવાદમાં ભાજપના 43માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે

અમદાવાદમાં પણ 6 એપ્રિલે યોજાનારા ભાજપના 43માં સ્થાપના દિવસે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદમાં તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવાના છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવવાનો છે.

આ પણ વાંચો : Breaking News: કિંગ ઓફ સાળંગપુર: સાળંગપુર ખાતે દાદાની 54 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું સંધ્યા સમયે થયું અનાવરણ, હનુમાન દાદાનો થયો જયઘોષ, જુઓ Video

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે

તો અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગેની માહિતી મેળવતા રહેતા હોય છે. દર ત્રણ મહિને કે છ મહીને તેઓ પોતાના મત વિસ્તારોમાં થયેલા વિકાસ કામોની સમીક્ષા કરતા હોય છે.ત્યારે આ વખતે પણ અમિત શાહ પોતાના મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે. તેઓ કાર્યકરો સાથે સમીક્ષા બેઠક સરકાર સંગઠન સાથે બેઠકો કરશે.

મહત્વનું છે કે 3 એપ્રિલે અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી.  બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:07 pm, Wed, 5 April 23

Next Article