
પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ભુસ્ખલનની ઘટના સામે આવી છે. પથ્થરોમાં દબાઈ જતા 2 ના મોત થયા છે. પગથિયાં ઉપર પથ્થર પડતા ચારથી વધુ વ્યક્તિ દબાયા છે.ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિઓ ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી ચાલું છે.ધોધમાર વરસાદ દરમિયાન આ ઘટના બની હતી.
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર નિર્માણાધીન બ્રિજ ડૂબ્યો છે.કાંકણપૂર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થયો છે. નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે આવી છે.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવગઢનો ડુંગર આવેલો છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલુ છે. પાવગઢના ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના લોકોમાં ભાતીગળ રીતભાત અને સાંસ્કૃતિક લોકવારસાના દર્શન થાય છે.
પંચમહાલમાં મેઘરાજાનું વિધિવત અને ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. સિઝન નો પ્રથમ વરસાદ જ ખેતી લાયક થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેતરોમાં પણ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો.
Published On - 9:12 am, Fri, 19 June 26