Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 262 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

|

Mar 23, 2023 | 7:56 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મૃત્યુ થયું છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 262 કેસ નોંધાયા, એકનું મૃત્યુ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1179 થયા છે. જેમાં અમદાવાદમાં 142, મોરબીમાં 18 , સુરતમાં 17, રાજકોટમાં 15, વડોદરા જિલ્લામાં 10, વડોદરામાં 09, અમરેલીમાં 07, રાજકોટ જિલ્લામાં 07, મહેસાણામાં 05, સુરત જિલ્લામાં 04, આણંદમાં 03, ભરૂચમાં 03, ગાંધીનગર જિલ્લામાં 03, ગાંધીનગરમાં 03, બનાસકાંઠામાં 02,કચ્છમાં 02, નવસારીમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અરવલ્લીમાં 01, ભાવનગરમાં 01, જામનગરમાં 01, જૂનાગઢમાં 01, ખેડામાં 01, પાટણમાં 01, સાબરકાંઠામાં 01 અને  સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે 146 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આ પણ વાંચો : Gujarati VIDEO : રાજકોટમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, એક્ટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો

Published On - 7:38 pm, Thu, 23 March 23

Next Article