Breaking News : ચૈતર વસાવા ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી, ચૂંટણી લડવાની બતાવી તૈયારી

|

Aug 08, 2023 | 10:30 AM

માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે.

Breaking News : ચૈતર વસાવા ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી, ચૂંટણી લડવાની બતાવી તૈયારી

Follow us on

Gandhinagar : ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા, જુઓ Video

લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હજુ ગઇકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે હવે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે તેવી માહિતી સામે આવી છે. જો કે ગઠબંધન અંગે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો કે આમ આદમી પાર્ટી દ્વારા હવે ચૈતર વસાવાની આપ અને કોંગ્રેસના I.N.D.I.A. ગઠબંધન હેઠળ ચૂંટણી લડાવવામાં આવે તેવી માહિતી મળી છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

TV9 ગુજરાતી દ્વારા સમગ્ર મામલે ચૈતર વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાએ પોતે લોકસભા ચૂંટણી માટે લડવાની તૈયારી હોવાનું જણાવ્યુ હતુ. જો કે તેમણે જણાવ્યુ હતુ કે તેમની આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે તેમને કોઇ જાણ નથી કરવામાં આવી. જો કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે અને જે રીતે આમ આદમી પાર્ટી નક્કી કરશે તે અમે કરીશુ તેવુ ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ.

ચૈતર વસાવાએ જણાવ્યુ કે લોકસભા ચૂંટણી મે જાતે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહીંના લોકોના ઘણા પ્રશ્નો છે અને લોકો પણ ઇચ્છી રહ્યા છે કે અહીંની સમસ્યાઓનો હલ લાવવામાં હું મદદ કરુ. ચૈતર વસાવાએ તેમ પણ જણાવ્યુ હતુ કે જો ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થાય પછી પણ હું ભરુચમાંથી લોકસભા ચૂંટણી લડવા તૈયાર છું.

મહત્વનું છે કે જો આપ અને કોંગ્રેસ અલગ થઇને લડે તો મત વહેચાઇ જાય તેમ છે. તેવામાં ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ આપ-કોંગ્રેસ I.N.D.I.A. ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડે તેવા પણ સમાચાર સામે આવેલા છે. ત્યારે ચૈતર વસાવા ભરુચ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પુરેપુરી શકયતા જોવા મળી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:14 am, Tue, 8 August 23

Next Article