Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત

|

Jul 24, 2023 | 7:59 AM

અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો. ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી

Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત
accident

Follow us on

Ahmedabad : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હજી અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના થોડા જ દિવસમાં છે. ત્યા તો અમદાવાદમાં બીજા અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસ રિપોર્ટમાં થશે અનેક મોટા ખુલાસા

ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને દિવાલમાં ઘુસી હતી. મળતી માહિતી અનુસાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી છે. જો કે સદનસીબે કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત

થોડા દિવસ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3ના સારવાર દરમિયાન મોત થયા હતા. 8 થી વધુ લોકો સારવાર હેઠળ હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 3 પોલીસ કર્મી હોવાનું સામે આવી રહ્યું હતુ. આરોપી તથ્ય પટેલને પોલીસે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવક એટલે કુલ 6 લોકો ગાડીમાં સવાર હોય હતા.  મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ 2020માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.

બનાસકાંઠાના નેશનલ હાઇવે પર અકસ્માત

તો આ અગાઉ કાંકરેજમાં નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વનુ છે કે હાઇવે અકસ્માતમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 6:38 am, Mon, 24 July 23

Next Article