
ગુજરાતના પાલિતામામાં નોન વેજ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણામાં હવે માત્ર શુદ્ધ શાકાહારી ભોજન જ મળશે. આ સાથે પાલિતાણા વિશ્વનું પહેલુ એવુ શહેર બની ગયુ છે કે જ્યાં માત્ર શાકાહારી ભોજન જમવાની જ અનુમતી હશે. આ નિર્ણય જૈન મુનિઓના આકરા વિરોધ બાદ લેવામાં આવ્યો નોન વેજ ભોજન પર સંપૂર્ણ પ્રતિબંધથી આ શહેર ચર્ચાનો વિષય બન્યુ છે. ઉલ્લેખનિય છે કે પાલિતાણા શહેર જૈન ધર્મના લોકો માટે એક તીર્થસ્થાન છે. દેશ અને દુનિયાભરના જૈન ધર્મને અનુસરકનારા લોકો માટે આ અત્યંત પવિત્ર તીર્થ સ્થાન છે. પ્રતિબંધ પાછળ પણ અનેક ધાર્મિક માન્યતાઓનો હવાલો આપવામાં આવ્યો છે.
પાલિતાણા ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદથી 200 કિલોમીટરના અંતરે આવેલુ છે. અહીં બસમાં જવામાં ઓછામાં ઓછી 3થી 4 કલાકનો સમય લાગે છે. જૈન ધર્મના આસ્થાના કેન્દ્ર સમાન આ શહેરમાં નોન વેજને પ્રતિબંધિત કરવા માટે 2014માં લગભગ 200 મુનિઓએ લાંબી ભૂખહડતાળ કરી હતી. જેમા કસાઈની દુકાનોને બંધ કરવાની માગ કરવામાં આવી હતી. જૈન સમુદાયની લાગણીને માન આપીને સરકારે માસ , ઈંડા અને પશુ વધ વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. વધુમાં ઉલ્લંઘન માટે દંડ લાદવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને જૈન ધર્મની એક મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. જે તેમની ધાર્મિક આસ્થા અને માન્યતાઓ પ્રત્યે સન્માન અને શાકાહારી જીવનશૈલીને પ્રોત્સાહન દેવાનું પ્રતિક છે.
આ પ્રતિબંધ સાથે, પાલિતાણામાં અનેક શાકાહારી રેસ્ટોરન્ટ્સ ખુલી ગયા છે. તેઓ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ પીરસે છે. કેટલાક જૂથોએ આ પ્રતિબંધની ટીકા કરી છે, દલીલ કરી છે કે તે ખોરાકની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરે છે અને પર્યટન પર નકારાત્મક અસર કરી શકે છે, કારણ કે ઘણા પ્રવાસીઓ માંસાહારી ખોરાક પસંદ કરે છે. રાજકીય રીતે, ભાજપ ભાવનગર નગર પાલિતાણામાં પ્રભુત્વ ધરાવે છે. પાલિતાણા 2002 માં વિધાનસભા ક્ષેત્ર બન્યું. ત્યારથી, 2012 સિવાય, ભાજપ સતત જીતતું આવ્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પણ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે, જેમણે 2002 માં જીત મેળવી હતી. પાલિતાણાનું સૌથી નોંધપાત્ર આકર્ષણ વિશ્વનું સૌથી મોટું અને અનોખું 900 થી વધુ આરસપહાણના મંદિરોનું સંકુલ છે, જે શેત્રુંજય પર્વત પર સ્થિત છે, જે જૈન ધર્મ માટે સૌથી પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે.
Published On - 6:18 pm, Sat, 8 November 25