ભાવનગર લઠ્ઠાકાંડ: મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જુઓ Video

ભાવનગર લઠ્ઠાકાંડમાં મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે. સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું.

ભાવનગર લઠ્ઠાકાંડ: મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જુઓ Video
| Updated on: Aug 22, 2026 | 11:36 PM

ભાવનગરમાં ફાટી નીકળેલા લઠ્ઠાકાંડની ગંભીરતા વધી રહી છે. વધુ એક વ્યક્તિ, મુકેશ ડામોરના મોત સાથે આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. મુકેશ ડામોરનું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.

આ પહેલા પણ અનેક લોકોએ આ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યા છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જ દાખલ દર્દી અવિનાશ પરમારનું પણ મોત નીપજ્યું હતું. તે જ દિવસે સવારે 35 વર્ષીય હાર્દિક કલજીનું પણ દારૂ પીધાના પાંચમા દિવસે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવક ભરતનગર વિસ્તારના વર્ધમાન નગરમાં રહેતો હતો. તેણે પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, ત્યારબાદ તબિયત વધુ લથડતા તેને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નકલી ઈંગ્લીશ દારૂ પીધા બાદ બ્રેઈન ડેડ થયેલા સંજયસિંહ ડોડીયાને ભાવનગરથી સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું. આમ, આજે ભાવનગર અને સુરતમાંથી કુલ ચાર લોકોના મોત નોંધાતા મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે.

આ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે FSL રિપોર્ટ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે. FSL રિપોર્ટમાં સામે આવ્યું છે કે નકલી દારૂમાં 38.59% મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું છે, જે અત્યંત ઝેરી તત્વ છે. દારૂમાં ઈથેનોલનું પ્રમાણ માત્ર 0.94% હોવાનું સામે આવ્યું છે. આ ઉચ્ચ પ્રમાણમાં રહેલું મિથેનોલ ઝેર ભળવાના કારણે જ પીનારા લોકોના મોત થયા હોવાનું સ્પષ્ટ થયું છે. દારૂ પીધા બાદ લોકોને ધૂંધળું દેખાવું અને ઉલટી થવી જેવી ગંભીર ફરિયાદો સામે આવી હતી, જે મિથેનોલ ઝેરના સામાન્ય લક્ષણો છે.

મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે અને હજુ પણ કેટલાક લોકો ગંભીર હાલતમાં હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે. હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જેટલા પણ લોકો સારવાર લઈ રહ્યા છે, તેમને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

SMCના વડા ગગનદીપ ગંભીર પણ ભાવનગર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુનેગારોને તાત્કાલિક ઝડપી પાડવા અને અસરગ્રસ્ત લોકોને કેવી રીતે વધુ સારી સારવાર આપી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ મામલે ઝડપી કાર્યવાહી કરીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા PMJVK ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ

Follow Us
Loading...
Unable to load recommendations.