Bhavnagar: ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજના આચાર્યએ ભારે વિવાદ બાદ આપ્યું રાજીનામું, જાણો સમગ્ર મામલો

|

Jun 27, 2022 | 4:47 PM

ભાવનગરની ગાંધી મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજમાં ભારે વિવાદ બાદ વિચિત્ર પરિપત્ર કરનાર આચાર્યએ રાજીનામું આપ્યું છે. ભાજપના સભ્ય બનવાના વિદ્યાર્થિનીઓને કરેલા પરિપત્ર બાદ ભારે વિવાદને લઈ ઇન્ચાર્જ કાર્યકારી મહિલા આચાર્યએ રાજીનામું આપ્યું છે.

Bhavnagar: ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજના આચાર્યએ ભારે વિવાદ બાદ આપ્યું રાજીનામું, જાણો સમગ્ર મામલો
Bhavnagar Principal of Gandhi Mahila Commerce and Arts College resigns

Follow us on

Bhavnagar: ભાવનગરની ગાંધી મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજમાં (Bhavnagar Women’s College) ભારે વિવાદ બાદ વિચિત્ર પરિપત્ર કરનાર આચાર્યએ રાજીનામું આપ્યું છે. ભાજપના સભ્ય બનવાના વિદ્યાર્થિનીઓને કરેલા પરિપત્ર બાદ ભારે વિવાદને લઈ ઇન્ચાર્જ કાર્યકારી મહિલા આચાર્યએ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, ગાંધી મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજના આચાર્યએ એક વિચિત્ર આદેશ કર્યો હતો. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક નોટિસ પાઠવી ભાજપના સભ્ય બનવા માટે આદેશ કર્યો હતો. એટલું જ નહીં ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાવવા દરેક વિદ્યાર્થિનીને ફરજિયાત હાજર રહેવા પણ સૂચન કર્યું હતું. જેની સામે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે માંગ કરી હતી. અને કોંગ્રેસના કાર્યકરો કોલેજમાં એકઠા થઇ વિરોધ નોંધાવી કુલપતિને રજૂઆત કરી હતી.

આ સંદર્ભે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો વિરોધ નોંધાવવાની સાથે – સાથે શિક્ષાના ધામને રાજકારણનો અખાડો બનાવવાના પ્રયાસને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા આજે સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ભાવનગરની મહિલા કોલેજના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓને લેખિતમાં ભાજપના પ્રમુખ બનવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટનાને પગલે ભારે હોબાળો થયો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભાવનગરમાં આ વખતની રથયાત્રા છે ખાસ

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 34મી રથયાત્રાને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરના જાહેર માર્ગો અને રથયાત્રાના રૂટને 17 હજાર ધજાથી શણગારવામાં આવ્યો છે.સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓના 23 કટ આઉટ લગાવાયા છે.આ સિવાય ભગવાનનો રથ પણ તૈયાર થઈ રહ્યો છે. તો વાઘા પણ તૈયાર થઈ ગયા છે. રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટમાં અલગ અલગ પોઇન્ટ પર 23 કટાઉટ લગાવવામાં આવ્યા છે.ઉપરાંત રથયાત્રા રૂટ પર 70 કમાન ગેટ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રથયાત્રાના રૂટ અને શહેરના જાહેર રસ્તા પર કુલ 17 હજારથી પણ વધારે ધજા લગાડવામાં આવી છે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની સઘન સુરક્ષા

તો બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસે પણ તમામ પ્રકારની સુરક્ષા કરી લીધી છે.પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા માટે 15 ડીવાયએસપી, 40 પીઆઇ, 150 પી.એસ.આઇ, 3 હજાર પોલીસ કોન્સ્ટેબલ અને 2 હજાર હોમગાર્ડ જવાનો જવાનોની માંગણી કરાઇ છે. અને હાલમાં પોલીસ શહેરમાં સઘન ચેકિંગ તપાસ કરી રહી છે.

Published On - 4:33 pm, Mon, 27 June 22

Next Article