Bhavnagar : અલંગમાં વાવાઝોડા અને એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

|

Mar 24, 2023 | 8:46 PM

અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

Bhavnagar : અલંગમાં વાવાઝોડા અને એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

Follow us on

અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર 10 ખાતે એમોનિયા લીકેજ અંગે  એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ   કુદરતી તેમજ માનવસર્જિત આફત અંગે યોજાઈ હતી. ભાવનગરના અલંગ ખાતે આવેલા 120 કિમી ઝડપે આવેલા વાવાઝોડા બાદ પ્લોટ નંબર 10 માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.

નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

જેમાં ફાયર ફાઇટર, 108  એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને એમોનિયા ગેસ લીકેજ  પર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

આ મોકડ્રીલમાં ભાવનગર જિલ્લાના ડિઝાસ્ટર ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર  કેપ્ટન રાકેશ મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તંત્ર આપત્તિ સામે લડવા કેટલું તૈયાર છે તેની પણ જાણકારી મળે છે

તંત્ર  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની મોકડ્રિલ આયોજિત કરવાને લીધે કુદરતી તેમજ કૃત્રિમ આપત્તિ સમયે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કેવી રીતે કામકાજ કરવામાં આવે છે તેની લોકોને જાણ થાય છે  તેમજ તંત્ર આપત્તિ સામે લડવા કેટલું તૈયાર છે તેની પણ જાણકારી મળે છે.

આ પણ  વાંચો:  Gujarati Video: દ્વારકામાં ભૂરાયાં થયેલા આખલાના આતંકથી માલમત્તાને ભારે નુકસાન, જુઓ વાયરલ Video

 

Next Article