Breaking News : ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો : દીકરીની સોશિયલ મીડિયાની લત છોડાવવા પરિવારે પોલીસ બોલાવી

ભરૂચ : અંકલેશ્વર તાલુકાની એક આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક કેવી રીતે કિશોરવયના બાળકોના ભવિષ્યને ધૂંધળું કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે.

Breaking News : ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો : દીકરીની સોશિયલ મીડિયાની લત છોડાવવા પરિવારે પોલીસ બોલાવી
| Updated on: May 11, 2026 | 12:28 PM

ભરૂચ : અંકલેશ્વર તાલુકાની એક આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક કેવી રીતે કિશોરવયના બાળકોના ભવિષ્યને ધૂંધળું કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. 10મા ધોરણમાં ભણતી એક 16 વર્ષની કિશોરી ઇન્સ્ટાગ્રામ અને ઓનલાઇન ગેમ્સના વ્યસનમાં એટલી હદે ડૂબી ગઈ હતી કે તેણે પોતાના પરિવાર અને અભ્યાસ બંનેથી અંતર બનાવી લીધું હતું. બાળકીએ લતથી બહાર લાવવા પરિવારે પોલીસની મદદ લેવી પડી હતી

ડિજિટલ દુનિયાનો ભરડો

માતાએ ભારે હૈયે 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. તેમની દીકરી મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતી, મિત્રો સાથે ચેટિંગ કરતી અને જ્યારે માતા-પિતા ટોકતા ત્યારે ઝઘડો કરીને ઘર છોડી જવાની ધમકી આપતી હતી. સ્થિતિ એટલી વણસી હતી કે તેને સુધારવા માટે ગામડે મોકલવામાં આવી પણ ત્યાં પણ તે શાળાએ જવાના બહાને આજ રૂટિનમાં વ્યસ્ત રહેતી હતી.

સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરાવાયા

ઘટનાની ગંભીરતા જોઈને અભયમની ટીમે કિશોરી સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરી હતી. કિશોરીને સમજાવ્યું કે સોશિયલ મીડિયા પર દેખાતી આકર્ષક દુનિયા ઘણીવાર જાળ સાબિત થતી હોય છે. સાયબર ક્રાઈમ, બ્લેકમેઇલિંગ અને વ્યક્તિગત વિગતોના દુરુપયોગ જેવા જોખમો વિશે તેને વાકેફ કરવામાં આવી હતી. ટીમે તેને અહેસાસ કરાવ્યો કે આ ઉંમર મોજ-મસ્તીની નહીં પણ કારકિર્દી ઘડવાની છે.

કિશોરીને ભૂલ સમજાઈ

કાઉન્સેલિંગના અંતે કિશોરીને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે સ્વેચ્છાએ પોતાના સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કર્યા અને લેખિતમાં બાંહેધરી આપી કે હવેથી તે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરશે અને પૂરું ધ્યાન અભ્યાસમાં આપશે. વિખરાઈ રહેલા પરિવારે દીકરીમાં આવેલું આ પરિવર્તન જોઈને અભયમ ટીમનો અંતરપૂર્વક આભાર માન્યો હતો.

ચેતવણીરૂપ કિસ્સો

આ ઘટના દરેક માતા-પિતા માટે ગંભીર ચેતવણી સમાન છે. આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકો માટે જરૂરિયાત બની ગયા છે સાથે તેનો અતિરેક વ્યસનનું રૂપ લઈ શકે છે. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આદત ધીમે ધીમે અભ્યાસ, પરિવાર અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળકો રાતભર મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી ઊંઘ ઓછી થાય છે અને એકાગ્રતા ઘટે છે. પરિણામે અભ્યાસમાં પાછળ પડવાનો ભય વધે છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેનો સંપર્ક ક્યારેક સાયબર ક્રાઈમનું કારણ પણ બની શકે છે. માતા-પિતાએ બાળકોના ઓનલાઈન વર્તન પર સતત નજર રાખવી જોઈએ. સમયસર સમજાવટ અને સંવાદ દ્વારા આ લતને રોકી શકાય છે. જરૂર પડે ત્યારે કાઉન્સેલિંગ અથવા નિષ્ણાતોની મદદ લેવામાં સંકોચ ન રાખવો જોઈએ. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા ડિજિટલ શિસ્ત આજની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

આ પણ વાંચો : Breaking News : ભરૂચમાં ઝેરી કેમિકલ કાંડ! લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ખેલનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

Published On - 12:27 pm, Mon, 11 May 26

Follow Us