Bharuch માં હડતાળ કરી રહેલા રિક્ષાચાલકોની દાદાગીરી, લોકોને સિટી બસમાંથી ઉતારી મૂક્યા

|

Jul 28, 2021 | 5:06 PM

જેમાં તેમણે સિટી બસ રોકીને મુસાફરોને નીચે ઉતાર્યા હતા. તેમજ રિક્ષામાં બેસીને દવાખાને જતા લોકોને પણ હડતાળિયા રિક્ષાચાલકોએ પરેશાન કર્યા હતા.

ગુજરાતના ભરૂચ(Bharuch ) માં પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાળ કરી રહેલા રિક્ષાચાલકોની દાદાગીરી સામે આવી છે. જેમાં તેમણે સિટી બસ રોકીને મુસાફરોને નીચે ઉતાર્યા હતા. તેમજ રિક્ષામાં બેસીને દવાખાને જતા લોકોને પણ હડતાળિયા રિક્ષાચાલકોએ પરેશાન કર્યા હતા. આ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓને લઇ જતા લોકોને પણ તેમણે રોક્યા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક રિક્ષાચાલકોએ સિટી બસ સેવાની કેટલીક નીતિઓ સામે બંધનું એલાન આપ્યું છે . જો કે આ રીતે લોકોને પરેશાન કરતાં તેમને લોકોને સપોર્ટ મળશે કે તેમ તેના પર પ્રશ્નાર્થ ઉભા થયા છે.

 

આ પણ વાંચો : IND vs SL: ટીમ ઈન્ડીયામાં આજે જોવા મળી શકે છે 7 મોટા પરીવર્તન, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ

આ પણ વાંચો : Raj Kundra Case: કુંદ્રાની જામીનની અરજી પર કોર્ટે આપ્યો કુંદ્રાને ઝટકો, અરજી કરી નામંજૂર

Next Video