ભરૂચ : આગામી લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કોંગ્રેસની ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તો બીજી તરફ આદિવાસી મસીહા છોટુ વાસવા પણ દુઃખી છે. પુત્ર મહેશ વસાવા કેસરિયા કરવાની જાહેરાત કરતા નિર્ણયથી આદિવાસી સુપ્રીમો છોટુ વસાવા નારાજ છે જેમણે મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી.
છોટુ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી પાર આકરા શાબ્દિક પ્રહાર કાર્ય હતા. વસાવાએ દેશ લોકશાહી ખતમ કરવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત પુત્રના પક્ષ છોડી ભાજપમાં જોડાવાના નિર્ણય સામે તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે BTP અધ્યક્ષ સમર્થકો સાથ 11 માર્ચે ભાજપનો ખસે ધારણ કરવા જઈ રહ્યા છે,
Published On - 9:11 am, Fri, 8 March 24