Rath Yatra LIVE Streaming: અમદાવાદ શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા. ખલાસી ભાઈઓ અને પોલીસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથને ફૂલ સ્પીડમાં અમદાવાદના રાજમાર્ગો પર દોડાવ્યા. અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી. કોરોના કાળમાં કર્ફ્યૂના એલાનને અમદાવાદના ગીચ એવી પોળ વિસ્તારના લોકોએ જડબેસલાક સમર્થન આપ્યું.
રથયાત્રા રૂટ પરના મકાનના લોકોએ પોત-પોતાના ઘરની બારી કે અગાસીમાંથી હર્ષભેર પ્રભુના દર્શનનો લ્હાવો માણ્યો. 144મી રથયાત્રામાં ભક્તોને અનેક ચીજવસ્તુઓની ખોટ સાલી, ન ભજન મંડળીઓના સૂર સંભળાયા, ન અખાડાના કરતબ જોવા મળ્યાં કે ન તો માર્ગો પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જ્યાં જુઓ ત્યાં માત્ર સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત દેખાયો. ટીવી પર જ નાથની નગરચર્યા નિહાળનારા ભક્તોએ મંગળ પર્વને ઉલ્લાસભેર માણ્યો
પ્રસાદમાં માસ્ક
આ વખતની રથયાત્રામાં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.
અમિત શાહની મંગળા આરતીમાં હાજરી:
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનાં હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી. સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાઈને રવાના થઈ ગઈ હતી. સરસપુરમાં દર વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો જેને લઈ ને પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કર્યા હતા.
પહિંદ વિધિ બાદ રથનું પ્રસ્થાન
જગન્નાથની 144મી રથયાત્રામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર પરિસરમાં CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલે સોનાની સાવરણી સાથે પરંપરાગત પહિંદ વિધિ કરી. CM વિજય રૂપાણીએ શ્રીફળ વધેરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે સોળ આની સારૂ વર્ષ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. જગતનો નાથ આપણને સૌને આશીર્વાદ આપે. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા ભગવાન પાસે આશીર્વાદ માંગીએ છીએ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. કચ્છમાં 1 મિલિયન એકર ઘનફૂટ પાણી પહોંચાડવાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કચ્છ નર્મદાના નીરથી હરિયાળું અને વધારે સમૃદ્ધ બનશે તેવી મુખ્યપ્રધાને આશા વ્યક્ત કરી.
સરસપુરમાં ઠાકોર સમાજે કર્યું મામેરૂ
સરસપુર રણછોડરાયજીના મંદિર ખાતે ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું. મૂળ સરસપુરના જ ઠાકોર પરિવારને મામેરૂ ભરવાનો અણમોલ લ્હાવો મળ્યો. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાઘા, પાઘડી અને અલંકારો અર્પણ કરવામાં આવ્યા. સરસપુરમાં રથયાત્રા 10 મિનિટ રોકાઈ. આ સમયે પ્રભુને મામેરૂ પિરસવામાં આવ્યું. કોરોના કાળમાં નિયમોના પાલન સાથે ભજનમંડળી, અખાડા ન હતા. આમ છતાં પ્રભુને મામેરૂ અર્પણ કરનારા પરિવારે તેને જીવનની ધન્ય ઘડી ગણાવી.
ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસની કામગીરી
રથયાત્રાના રૂટ પર પોળમાં કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં પોલીસ સફળ રહી હતી. રથયાત્રામાં રથ પૂજનથી લઈને પહિંદ વિધિ અને બાદમાં રથ મંદિરેથી નિકળ્યા ત્યારથી રથની સાથે જ રહ્યા હતા. પોલીસનાં મનોબળ માટે કહો કે પછી યાત્રાની સ્થિતિ પર સતત નજર રાખવા માટેની વાત હોય, ગૃહપ્રધાન ફિલ્ડમાં જ રહ્યા હતા. આ વખતે ભક્તો કરતા પોલીસની સંખ્યા વધારે જોવા મળી હતી. યાત્રામાં પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત રહ્યા, તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ હતી.
દેશના દરેક ગરિબ અને દરેક વ્યક્તિ સુધી પોષણ પહોચાડવાની જવાબદારી સરકારની છે. જરૂરી પોષક તત્વોની ખામીને કારણે તેમને શારિરીક તકલીફ થાય છે. તેથી જે ચોખા ગરીબોને આપવામાં આવે છે તે ફોર્ટીફાઈડ કરાશે. તેમાં જરૂરી પોષક તત્વોનો ઉમેરો કરાશે.
Jagannath Rath Yatra LIVE Streaming: પોલીસ, જનતા અને મંદિર તંત્રનાં સંયુક્ત પ્રયાસોનાં પ્રતાપે ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ સંપન્ન
Lord Jagannath’s #RathYatra concludes peacefully in #Ahmedabad . #Gujarat #RathYatra2021 pic.twitter.com/oc2pkPNkGv
— tv9gujarati (@tv9gujarati) July 12, 2021
Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને મોકુફ રાખવામાં આવી હતી. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
Jagannath Rath Yatra LIVE Streaming:
ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ ગયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર પહોચી ગયા છે. હવે ટૂંક સમયમાં પહિંદ વિધિ કરવામાં આવશે.અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144 Rathyatra) નિયમો સાથે નિકળશે. રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 120 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે.
Jagannath Rath Yatra LIVE Streaming: મુખ્યપ્રધાનનાં હસ્તે પહિંદ વિધિ કરાશે ત્યારે જાણો કે પહિંદવિધિ કરવામાં કેમ આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે.
રથયાત્રામાં પહિંદવિધિનું અનેરુ મહત્વ હોય છે ત્યારે આ વર્ષે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવશે. CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદવિધિ કરી હતી. રથની સફાઇ બાદ જ ભગવાન જગન્નાથ રથમાં બિરાજે છે અને પહિંદવિધિ બાદ જ રથયાત્રાનો પ્રારંભ થાય છે. પહિંદવિધિ બાદ CM રૂપાણીએ રથનું દોરડું ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
મહત્વનું છે કે રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.
Jagannath Rath Yatra LIVE Streaming:
નિયમો સાથે રથયાત્રા
કર્ફ્યૂ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પહિંદ વિધિ કરાવશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે
રથયાત્રામાં પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ
અખાડા, ટ્રક, ગજરાજ, ભજન મંડળી, બેન્ડ વગેરેને મંજૂરી નહીં
રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે
ટીવીના માધ્યમથી ભક્તો રથયાત્રાના LIVE દર્શન કરી શકશે
રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ બંદોબસ્ત
રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં
અન્ય જિલ્લામાંથી આવતા લોકોને અમદાવાદમાં પ્રવેશ નહીં મળે
ત્રણ રથ સહિત માત્ર 5 વાહનો સાથે પરંપરાગત રથયાત્રા નીકળશે
ખલાસીઓનો 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ
ખલાસીઓની સંખ્યા એક સાથે 60થી વધારે ન રાખવા આદેશ
રસીના બે ડોઝ લીધેલા ખલાસીઓને પ્રાથમિકતા અપાશે, એક ડોઝ લેવો ફરજિયાત
7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ અમલી કરાશે
રથયાત્રાના દિવસે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાશે
રથ પરત ન આવે ત્યાં સુધી તે રૂટ પર કરફ્યુ રહેશે
રથયાત્રા સવારે નિજ મંદિરથી પ્રસ્થાન કરી 4-5 કલાકના સમયગાળામાં પૂર્ણ કરી દેવાશે
નિજ મંદિરથી નીકળી રથયાત્રા સરસપુરની વિધિ માટે નીકળશે આ સિવાય ક્યાંય રોકાશે નહીં
મામેરાની વિધિમાં સરસપુરમાં રસી લીધી હશે તેને જ હાજરી આપવા મળશે
સરસપુર ખાતે ભોજનના ભંડારા કરવા પર પણ પ્રતિબંધ
સ્થાનિક તંત્રએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે
રથયાત્રામાં ભાગ લેનારનો 48 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ
રથયાત્રામાં સામેલ રથ કે વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે
રથયાત્રામાં સામેલ લોકોએ કોવિડ-19 પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે
Jagannath Rath Yatra LIVE Streaming:
ખલાસીઓનુ યાત્રાને લઇને મહત્વનુ નિવેદન સામે આવ્યું છે કે રથને મંદિર પહોચતા 4 થી 5 વાગી શકે છે. રથ પર ખલાસીઓની સંખ્યા નોધપાત્ર ઓછી છે. સરસપુરથી મંદિરના રુટ પર લાગી શકે છે વધુ સમય. દર વર્ષે 1000 થી વધુ ખલાસી હોય છે જેની સામે આ વર્ષે માત્ર 120 ખલાસી રથ ખેચી રહ્યા છે જેને લઈને સમયમાં વધારો થઈ શકે છે.
Jagannath Rath Yatra LIVE Streaming: જય જગન્નાથનાં જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા છે. મહંત દિલિપદાસજી મહારાજ અને ટ્રસ્ટી સહિત નક્કી કરેલા આમંત્રિતો વચ્ચે ભગવાન રથમાં બિરાજમાન થયા
#RathYatra2021: Idols of deities being placed in the Raths at Lord Jagannath temple, #Ahmedabad #RathYatra #AhmedabadRathyatra #TV9News pic.twitter.com/mtG3Mh18XD
— tv9gujarati (@tv9gujarati) July 12, 2021
Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રા પહેલા પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો, શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે
7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ અમલી કરાશે
રથયાત્રાના દિવસે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાશે
રથ પરત ન આવે ત્યાં સુધી તે રૂટ પર કરફ્યુ રહેશે
રથયાત્રા સવારે નિજ મંદિરથી પ્રસ્થાન કરી 4-5 કલાકના સમયગાળામાં પૂર્ણ કરી દેવાશે
નિજ મંદિરથી નીકળી રથયાત્રા સરસપુરની વિધિ માટે નીકળશે આ સિવાય ક્યાંય રોકાશે નહીં
મામેરાની વિધિમાં સરસપુરમાં રસી લીધી હશે તેને જ હાજરી આપવા મળશે
સરસપુર ખાતે ભોજનના ભંડારા કરવા પર પણ પ્રતિબંધ
સ્થાનિક તંત્રએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે
રથયાત્રામાં ભાગ લેનારનો 48 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ
રથયાત્રામાં સામેલ રથ કે વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે
રથયાત્રામાં સામેલ લોકોએ કોવિડ-19 પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે
Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની રથયાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મંદિર પરિસરમાં ભગવાનનાં રથ ગોઠવાઈ ગયા છે. રાજ્યનાં મુખ્યપ્રધાનનાં હસ્તે પહિંદ વિધિ કરાયા બાદ રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથયાત્રાનાં ઘરે બેઠા દર્શન આપ TV9 પર કરી શકશો
Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથ મંદિરનાં મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે પાછલા વર્ષે બ્રેક લાગ્યા બાદ આ વર્ષે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભલે મંદિરમાં નાથ પાસે નથી આવી શકતા પણ ભગવાન જગન્નાથ તેમની પાસે આવી રહ્યા છે તેવો ભાવ બન્યો છે. આ સાથે જ મંદિર અને રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પ્રસંગે આજે મંદિરમાં પરંપરાગત રીતે ભગવાન માટે ખીચડાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. જગન્નાથજીની રથયાત્રા સાથે ભંડારો હોય કે પછી પ્રસાદ ઘણું મહત્વ રાખે છે. રથયાત્રા સાથે ભગવાનના પ્રસાદ માટે તૈયાર થતો ખીચડો ભોગ માટે તૈયાર થતો હોય છે અને સૌ પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.
Jagannath Rath Yatra LIVE Streaming: સમય આવ્યો 2013 કે 14 કે જ્યારે રથની ડિઝાઇન બદલવામાં આવી. જેમાં જે ત્રણે રથની 15 ફૂટ હાઈટ હતી જે 16 ફૂટ હાઈટ કરી રથને નવો લુક આપવામાં આવ્યો. આમ 1878 થી શરૂ થયેલી રથયાત્રામાં ત્યારથી લઈને અત્યાર સુધી રથમાં અનેક ફેરફાર કરાયા. જે તમામ ફેરફાર ખલાસીઓ દવારા કરવામાં આવ્યા. અને આજે પણ તે 1950 માં બનાવેલા રથ અડીખમ જોવા મળી રહ્યા છે. જે ખલાસીઓની મહેનત અને શ્રદ્ધાનું કેન્દ્ર પણ બન્યું છે.
Jagannath Rath Yatra LIVE Streaming: લાકડાના પૈડા હોવાથી પૈડા તૂટતા રહેતા કે નુકશાન થતું. જેને ધ્યાને રાખી 1992માં રથના સ્ટેરિંગ સાથે જોડાયેલા આગળના બે પૈડામાં લોખંડની પ્લેટ નાખી ફરતે લાકડાના બ્લોક મૂકી પૈડા તૈયાર કરાયા. જેથી રથના પૈડાને જલ્દી નુકશાન ન થાય અને રથયાત્રા વગર અડચણે પૂર્ણ કરી શકાય.
આ તમામ પ્રક્રિયા બાદ 1992 આસપાસ સૌથી મોટો ફેરફાર રથમાં કરવાના આવ્યો. જેમાં બળદેવના રથમાં 16 જ્યારે જગન્નાથના અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા તેમજ લોખંડની પ્લેટ સાથે પૈડા તૈયાર કરાયા જોકે હાલાકી યથાવત રહી. જેના પર ખલાસીઓએ ફેર વિચારણા કરી 1992 પહેલા ખલાસીઓએ રથમાં મોટો ફેરફાર કર્યો હતો.
તમામ રથમાં પાછળ 4 જ્યારે આગળ 2 પૈડા કરવામાં આવ્યા. જેથી રથનો વજન હલકો થતા રથ ખેંચવામાં સરળતા રહે. અત્યાર સુધી તેજ 6 પૈડા સાથે રથ ખેંચવામાં આવે છે. જોકે પૈડાને મેઈન્ટેઈન કરવા દર વર્ષે પૈડાના લાકડા બદલાય છે. જેથી રથયાત્રા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થાય. તો સાથે જ સ્ટિયરીંગની પણ હાઈટ ઊંચી કરવામાં આવી જેથી ખલાસીઓને રથ ખેંચવામાં વધુ સરળતા રહે.
Jagannath Rath Yatra LIVE Streaming: 1878માં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે ભગવાને નારીયેળીના થડમાંથી બનાવેલ નાના રથમાં લઈ જવાતા હતા. જે રથ ખલાસીઓએ તૈયાર કર્યા હતા. જોકે રથયાત્રામાં સામાન્ય હાલાકી પડતી હોવાથી અને રથ નવા મળે તે આશયથી 1950માં નવા રથ બનાવવામાં આવ્યા. તે રથ પણ ખલાસીઓએ બનાવ્યા હતા. જોકે તે સમયે ખલાસીઓ પાસે તેટલું બજેટ ન હતું પણ ભગવાન જગન્નાથના આશીર્વાદથી તે કાર્ય સફળ રહ્યું અને 1950 માં ભગવાનને નવા રથમાં લઇ જઇ રથયાત્રા કાઢવામાં આવી.
1950માં તૈયાર કરવામાં આવેલા રથ ભરૂચના કારીગરો દ્વારા સાગના લાકડા માંથી તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન બળદેવના રથમાં 16 પૈડા હતા જ્યારે જગન્નાથ અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા. જે રથ પહેલા ધક્કા મારીને ખલાસીઓ ખેંચતા હતા. જોકે રથયાત્રા દરમિયાન ખલાસીઓને રથ ખેંચવામાં હાલાકી પડતી હતી. જેને ધ્યાને રાખી 1975 આસપાસમાં રથમાં સ્ટિયરીંગ નાખવામાં આવ્યા. જેથી રથ યોગ્ય રીતે મુવ કરી શકાય.
Jagannath Rath Yatra LIVE Streaming:
બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે રથયાત્રા રૂટનું ચેકીંગ કર્યું. જેમાં તેઓએ મકાન, દુકાન, ફૂટપાથ,છત, રેલિંગ. અને વાહનો સહિત શંકાસ્પદ લાગતી જગ્યા પર સામાન ખસેડીને તપાસ કરી. જેથી રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવે. તેમજ કોઈ ઘટના ન બને અને કોઈ દુર્ઘટના થતા ટાળી શકાય.
Jagannath Rath Yatra LIVE Streaming: અમદાવાદ(Ahmedabad) માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા(Rathyatra) ને હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં રથયાત્રાને કરફ્યુ અને પ્રોટોકોલ સાથે મંજૂરી આપવામાં આવી તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક વિસ્તારોમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Jagannath Rath Yatra LIVE Streaming:
પહિંદ વિધિનો મહિમા અને ઈતિહાસ
ઑડિશામાં આ વિધિ ‘છેરા-પહરા’ વિધિના નામે પ્રસિદ્ધ
ઑડિશામાં રાજાના હસ્તે થાય છે પહિંદ વિધિ
ગજપતિ મહારાજ મનાય છે પ્રભુના પ્રથમ સેવક
રાજા સ્વયં સેવક બની યાત્રાના માર્ગને કરે છે સ્વચ્છ
સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની થશે સફાઈ
ગુજરાતમાં મુખ્યપ્રધાનના હસ્તે થશે પહિંદ વિધિ
ગુજરાતમાં વર્ષ 1990માં થઈ પહિંદ વિધિની શરૂઆત
પહિંદ વિધિ બાદ જ થશે રથયાત્રાનો પ્રારંભ
Jagannath Rath Yatra LIVE Streaming:
અમદાવાદમાં પ્રભુ જગન્નાથજીની 144મી રથયાત્રા ટૂંક સમયમાં પ્રસ્થાન કરશે. કોરોના મહામારી વચ્ચે ગયા વર્ષનાં બ્રેક બાદ નાથની નગરચર્યા નિકળવા જઈ રહી છે. મંગળાઆરતી સાથે શુભ દિવસની શરૂઆત થઈ ચુકી છે. ટૂંક સમયમાં પ્રભુની આંખેથી પાટા છોડવામાં આવશે અને ભક્તોને થશે પ્રભુના ભાવસભર નેત્રના દર્શન. જણાવવું રહ્યું કે રથયાત્રા પૂર્વે રાજ્યનાં મુખ્યપ્રધાનના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ પણ મુખ્યપ્રધાન જ રથનું દોરડું ખેંચીને કરાવશે.
Jagannath Rath Yatra LIVE Streaming:
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 144મી રથયાત્રા વચ્ચેની ખાસ અપડેટ
કોરોનાકાળમાં કરફયુ સાથે રથયાત્રાનું આયોજન
5 વાહનો અને 60 ખલાસીઓ સાથે રથયાત્રાનું આયોજન
ભક્ત,ગજરાજ ,ભજન મંડળી અને અખાડાને મંજૂરી નહીં
ટીવી, મોબાઈલ થકી જ રથયાત્રાના દર્શન કરવા અપીલ
19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી 2 સુધી કરફયુનો અમલ
સવારે 4 કલાકે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે મંગળા આરતી
સવારે 4.30 કલાકે ભગવાન જગન્નાથને વિશિષ્ટ ભોગ
સવારે 5.30 કલાકે રથમાં ભગવાનનો પ્રવેશ
સવારે 7 કલાકે સીએમ રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદવિધિ
સરસપુરમાં મોસાળ ખાતે પણ થોડો સમય રોકાશે રથ
રથયાત્રા બંદોબસ્તમાં 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો
RAF, SRP સહિત તમામ સુરક્ષા એજન્સી સ્ટેન્ડ ટુ
8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફયુનું કડક પાલન
રથયાત્રા રૂટ પર ભક્તો ભેગા ન થાય તેની ખાસ તકેદારી
સમયસર રથયાત્રા પૂર્ણ થાય તે અંગે ખાસ માર્ગદર્શન
Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં અમિત શાહ પહોચ્યા અને આરતી કરી હતી. તેમની સાતે મહંત દિલિપ દાસજી અને મંડળનાં સભ્યો પણ જોડાયા હતા.
Published On - 11:45 am, Mon, 12 July 21