BAPS: શિક્ષિત દિક્ષિત બની સમાજને કરશે પ્રશિક્ષિત, સ્વામિનારાયણ સંસ્થાના દીક્ષા મહોત્સવમાં 109 યુવાનોએ મહંત સ્વામી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી

|

Jan 03, 2022 | 10:36 AM

દીક્ષા લેનારા યુવાનોમાંથી 14 વિદેશી રહેવાસીઓ, 29 સ્નાતક, 14 અનુસ્નાતક, 42 એન્જિનિયર, અને 46 તેમના માતાપિતાના એકમાત્ર સંતાન હતા. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPS: શિક્ષિત દિક્ષિત બની સમાજને કરશે પ્રશિક્ષિત, સ્વામિનારાયણ સંસ્થાના દીક્ષા મહોત્સવમાં 109 યુવાનોએ મહંત સ્વામી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી
Vadodara: 109 educated youths embraced the path of renunciation at BAPS Swaminarayan sansthan

Follow us on

આદિવાસીથી અમેરિકાવાસી પરિવારના, ઉચ્ચ શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી ધરાવતા માતા-પિતાના એકમાત્ર સંતાન હોય એવા યુવાનોએ પણ દીક્ષા લીધી.

 

Vadodara: પરમાર્થનો માર્ગ અપનાવનાર આ યુવાનોમાં ન્યૂયોર્કમાં જન્મેલા દિક્ષાર્થી જૈનમ શાહ છે. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ હેરિક્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. અને પ્રેટ સંસ્થામાંથી 2 ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. ત્યારે તેઓએ આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, મેનહટનમાં શ્રેષ્ઠ આર્કિટેક્ચર ફર્મ માટે કામ કરતા હતા તે નોકરી છોડી દીધી.

શિક્ષિત યુવાનોએ ત્યાગનો માર્ગ અપનાવ્યો છે અને સાધુ તરીકે દીક્ષા લીધી છે, તેમની બહેન ડૉ. શેનિકા શાહ યુએસ આર્મી હોસ્પિટલમાં સૌથી નાની વયની Captain બની, બંને દેશ અને સમુદાય માટે સેવા આપે છે, તેઓ ત્યાંના પરિવારમાં એકમાત્ર પુત્ર છે. દીક્ષા વિધિ વૈદિક મહાપૂજા વિધિ સાથે થઈ હતી. યુવકો, તેમના માતા-પિતા અને સંબંધીઓએ પણ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. બાદમાં, માતા-પિતાએ તેમના વહાલા પુત્રોને સાધુ બનવા માટે પૂજ્ય ગુરુ મહંત સ્વામી મહારાજના પવિત્ર ચરણોમાં અર્પણ કર્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

 

દીક્ષા બાદ પ્રથમ તબક્કામાં સાધક તરીકે અપાય છે તાલીમ

પ્રસિદ્ધ સાળંગપુરમાં આવેલા સંત તાલીમ કેન્દ્રના સંયોજક વેદાંતપ્રિય સ્વામી અનુસાર દીક્ષા લેવાનો સંકલ્પ કરનાર યુવાનોને પ્રથમ તબક્કામાં સાધક તરીકેની તાલીમ આપવામાં આવે છે. જેમાં ત્રણ વર્ષ બોટાદ જિલ્લા નજીક આવેલા સાળંગપુરમાં સાડા ચાર દાયકાથી ચાલતા આ સંત તાલીમ કેન્દ્રમાં રહીને લગભગ ત્યાગી જેવું જીવન જીવવાનું હોય છે.

વડોદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દીક્ષા (initiation) મહોત્સવમાં કુલ 109 યુવાનોએ પૂજ્ય ગુરુ મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને સંસારનો ત્યાગ કરીને સાધુ બન્યા છે. ડિસેમ્બરના રોજ કુલ 54 યુવકોએ દીક્ષા ગ્રહણ કરી અને બીજા દિવસે 55 યુવકોએ દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં યુવાનાએ તેમના બાકીના જીવન માટે સાધુત્વ પસંદ કર્યું છે.

દીક્ષા લેનારા યુવાનોમાંથી 14 વિદેશી રહેવાસીઓ, 29 સ્નાતક, 14 અનુસ્નાતક, 42 એન્જિનિયર, અને 46 તેમના માતાપિતાના એકમાત્ર સંતાન હતા. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: TV Buying Tips: જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 8 વાતનું રાખો ખાસ ધ્યાન

આ પણ વાંચો: Ahmedabad: જનપ્રતિનિધિના ફોન AMC ના અધિકારીઓ ન ઉપાડતા હોવાની ફરિયાદ, AMC કમિશનરે લીધું આ પગલું

Published On - 7:33 am, Mon, 3 January 22

Next Article