રાધનપુરમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર હુમલાની ઘટના, હજારો લોકો એકઠા થયા, બેકાબુ ભીડ પર પોલીસનો બળપ્રયોગ

ધંધુકામાં વિધર્મીઓ દ્વારા યુવાનની હત્યાની ઘટના બાદ રાધનપુરના શેરગઢમાં પણ વિધર્મી યુવકે યુવતી પર જીવલેણ હુમલો કરવાની ઘટના બનતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને બંને ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 5:37 PM

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતીને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે એકલતાનો લાભ લઇ વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો. બાદમાં સ્થાનિકોએ હુમલો કરનાર યાસીન બલોચને પોલીસને સોંપી દીધો હતો.

આ ઘટનામાં શનિવારે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં આજે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસને આવેદન આપી કડક કાર્યવાહીની માગ કરી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની સાથે ભાજપના નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પણ સ્થળ પર પહોંચ્યા હતા.

શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જણાવ્યું હતું કે વિધર્મીઓ દ્વારા ધંધુકા (Dhandhuka) માં એક યુવાનની હત્યા કરવામાં આવે અને રાધનપુરના શેરગઢમાં એક યુવતી પર હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ લોકોમાં આક્રોશ છે. ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી લોકોની માગ છે. પોલીસે બંને ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે તેમને દાખલો બેસે તેની સજા થાય તેવું લોકોન ઇચ્છી રહ્યા છે.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) એ ઇજાગ્રસ્ત યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી અને યુવતીના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ બનાવને સખત શબ્દોમાં વખોડું છું. આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપવા તૈયાર છું. આવા અસામાજિક તત્વોને દાખલા રૂપ સજા થવી જોઈએ.

આ પણ વાંચોઃ Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું

આ પણ વાંચોઃ રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ, સોશિયલ મિડીયાની ધાર્મિક પોસ્ટ વિધર્મીએ દુર કરવા કર્યુ દબાણ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">