ગુજરાત(Gujarat) સરકાર આદિવાસી દિવસ(Tribal Day)ની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આદિવાસી દિનની ઉજવણીમાં આદિવાસી વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી(Kanti Kharadi) ને આમંત્રણ ના આપતા વિવાદ છેડાયો છે. આ બાબતે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કામોની પોલ પ્રજા સામે ખુલ્લી ના પડે એટલા માટે થઈ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ મારૂ નહી પરંતુ આ વિસ્તારના સમગ્ર આદિવાસીઓનું અપમાન છે.
આ પણ વાંચો : જો તમે આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો કોઇ પણ હેકર તમારી ખાનગી માહિતી ચોરી નહીં શકે
આ પણ વાંચો : Rajkot : વરસાદ ખેંચાતા ધોરાજીના ખેડૂતોની ચિંતા વધી, પાક નષ્ટ થવાની સેવાતી ભીતિ