Banaskantha : બ્રાંચ કેનાલોમાં નર્મદાના પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ, પાકને જીવતદાન મળશે

|

Aug 16, 2021 | 6:52 PM

રાજ્ય સરકાર દ્વારા નર્મદાની કેનાલમાં પાણી છોડાતા જ ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. સરકાર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેતા ખેડૂતો પર આવેલી દુષ્કાળની આફત થોડી હળવી થઈ છે.

ગુજરાતમાં વરસાદ ખેંચતા જ સરહદી વિસ્તાર બનાસકાંઠામાં કફોડી પરિસ્થિતિ છે. પરંતુ તે વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની કેનાલમાં પાણી છોડાતા જ ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. સરકાર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેતા ખેડૂતો પર આવેલી દુષ્કાળની આફત થોડી હળવી થઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહિવત છે. જેના કારણે ખેડૂતો પરેશાન છે. સરહદી વિસ્તાર વાવ થરાદ સુઈગામ અને ભાભરની વાત કરવામાં આવે તો ન માત્ર કહી શકાય તેટલો વરસાદ આ વરસાદી સિઝનમાં પડ્યો છે. જેના કારણે ખરીફ સીઝનના પાકોને મોટું નુકસાન થઇ શકે તેવી શક્યતા છે. આ વચ્ચે ખેડૂતોએ નર્મદાના પાણીની માંગ કરી હતી.

આ માંગને સ્થાનિક આગેવાનો દ્વારા પણ સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ આજે નર્મદાની પાંચ બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા ખેડૂતોને આંશિક રાહત મળી છે. ખરીફ સીઝનમાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા હતી. પરંતુ તે વચ્ચે હવે નર્મદાની કેનાલમાં પાણી આવતા ખેડૂતોના માથે આફતના વાદળ ઓસર્યા છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ અને અમદાવાદીઓ પાણીપુરી ઉપર કેમ ઓળઘોળ છે ? પાણીપુરીની કેટલીક ચટાકેદાર વાતો જાણો છો ?

આ પણ વાંચો :  Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

Next Video