Banaskantha: પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમા રજૂ કરાયા, સરકારને બદનામ કરવાના કેસમાં અટકાયત

બનાસકાંઠા સબજેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને(Sanjiv Bhatt ) પાલનપુર કોર્ટમા રજૂ કરાયા હતા. તેમજ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી ગમે ત્યારે અમદાવાદ લઈ જાય તેવી શક્યતા  છે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ બનાસકાંઠા સબજેલ  1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

Banaskantha: પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમા રજૂ કરાયા, સરકારને બદનામ કરવાના કેસમાં અટકાયત
Gujarat Former IPS Officer Sanjiv Bhatt
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jun 28, 2022 | 6:06 PM

ગુજરાતમાં(Gujarat) વર્ષ 2002  રમખાણો બાદ સરકારને બદનામ કરવામાં કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ,((Teesta Setalvad) પૂર્વ ડીઆઇજી શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીઆઇજી શ્રી કુમારના મેટ્રો કોર્ટે 1 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જયારે આ કેસમાં બનાસકાંઠા સબજેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમા રજૂ કરાયા હતા. તેમજ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી ગમે ત્યારે અમદાવાદ લઈ જાય તેવી શક્યતા  છે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ બનાસકાંઠા સબજેલ  1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર

તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં મેટ્રો કોર્ટેએ તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે. જેમાં પૂર્વ IPS શ્રી કુમાર અને તીસ્તા સેતલવાડ પર આક્ષેપ છે કે બંને તપાસમાં સહકાર આપી રહ્યા નથી.તીસ્તા પર અલગ-અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ-અલગ કમિશનમાં આપવાનો આરોપ છે.. આ સાથે NGO મારફતે વિદેશી ભંડોળ મેળવવાનો પણ આરોપ છે.

આ ઉપરાંત તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ  SIT બનાવી છે. ATSના DIG દિપેન ભદ્રનનાનેતૃત્વમાં SITની રચના કરાઇ છે. આજે તીસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. તીસ્તા સેતલવાડ અને સાગરીતો દ્વારા અલગ અલગ જગ્યા પર ખોટા દસ્તાવજો રજૂ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તીસ્તા પર ગાળિયો કસાયો

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તીસ્તા સેતલવાડ પર ગાળિયો કસાયો છે. તીસ્તાની પૂછપરછમાં ગોધરાકાંડ મુદ્દે અંદરના રહસ્યો ખુલી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે તીસ્તા સહિત બે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર સામે ફરિયાદ નોંધી છે. IPCની કલમ 468, 471, 194, 211, 218 અને 120-B મુજબ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. આરોપી વિરૂદ્ધ તોફાનોમાં સંડોવણીનો મુદ્દો સળગતો રહે તેવા બદઈરાદા હોવાનો આક્ષેપ છે. તો ઝાકિયા જાફરીની અરજી ઉપરાંત અલગ અલગ કોર્ટની પિટિશન તેમજ SITના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી અલગ અલગ કમિશનમાં રજૂ કર્યાનો પણ આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું. સુપ્રીમ કોર્ટે SIT તપાસના વખાણ કરતા કહ્યું કે જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેના વિરૂદ્ધ પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડનું નામ લઈને પણ કહ્યું હતું કે તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ તપાસની જરૂર છે.

Published On - 5:56 pm, Tue, 28 June 22