Banaskantha: કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ, નહિતર દંડ ફટકારાશે

|

Jun 16, 2022 | 6:26 PM

બનાસકાંઠા (Banaskantha) કલેકટરે લોકોને જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. તેમજ આ આદેશનો પાલન નહિ કરનારને રૂપિયા 1 હજારનો દંડ કરવામાં ફટકારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 7 લોકો કોરોના પોઝિટિવ છે.

Banaskantha: કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ, નહિતર દંડ ફટકારાશે
Gujarat Corona
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાનું(Corona)સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં બનાસકાંઠામાં (Banaskantha)પણ કોરોના સંક્રમણ વધતા કલેકટરે 15 જૂનથી 30 જૂન સુધી લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં કલેકટરે લોકોને જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. તેમજ આ આદેશનો પાલન નહિ કરનારને રૂપિયા 1 હજારનો દંડ કરવામાં ફટકારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 7 લોકો કોરોના પોઝિટિવ છે.

ગુજરાતમાં 15 જૂનના રોજ કોરોનાના નવા 184 કેસ

ઉલ્લેખનીય છે કે. ગુજરાત કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 15 જૂનના રોજ કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના સૌથી વધારે કેસ 91 કેસ અમદાવાદમાંનોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે વડોદરામાં 18, સુરતમાં 16, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 07, કચ્છમાં 04,સુરતમાં 04, વલસાડમાં 04, અમદાવાદ 03,ભરૂચમાં 03, ગાંધીનગર જિલ્લામાં 03,જામનગર જિલ્લામાં 03, રાજકોટ જિલ્લામાં 03, આણંદમાં 02, ગીર સોમનાથ 02, જામનગરમાં 02, ખેડામાં 02, મોરબીમાં 02,નવસારીમાં 02, ભાવનગરમાં 01,મહેસાણામાં 01, અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 991 થઈ છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 112 દર્દીઓ સાજા થયા છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી

ગુજરાતમાં કોરોનાનું સંકટ ફરીથી ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાની સંખ્યામાં રોજ વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયુ છે. કોરોના સંકટને કાબુમાં લેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી છે. જેમાં પ્રધાન નિમિષા સુથાર અને ACS મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં રસીકરણ અને કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક્શન પ્લાન તૈયાર કરાયો

આ બેઠકમાં કોરોનાના વધતા કેસના પગલે કયા વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ઊભા કરવા, શાળાઓમાં વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને જેને ન અપાઇ હોય તેમને વેક્સીન આપવા માટેનો શું એક્શન પ્લાન છે. તેના પર ચર્ચા કરવામાં આવી. બીજી તરઉ PHC અને CHC સેન્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ તમામ લોકોના વેક્સીનેશન પર ફરી ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોની સમીક્ષા આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.

Next Article