રાજ્યમાં વધુ એક નવજાત બાળક તરછોડાયું, નડિયાદ અનાથ આશ્રમ બહાર કોઈ 1.5 માસના બાળકને મૂકી ગયું

Nadiad: રાજ્યમાં વધુ એક બાળકને તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદના અનાથ આશ્રમ આગળ રાત્રે કોઈ બાળકને મુકીને જતું રહ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:06 AM

નડિયાદમાં (Nadiad) વધુ એક નવજાત બાળકને (newborn child) તરછોડવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ (Orphanage) બહાર બુધવારની મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું. બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ આશ્રમના સંચાલકો બહાર આવ્યા. બાળકની તબિયત નાજુક લાગતા તેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવાયું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તરછોડાયેલા નવજાત બાળકની ઉંમર અંદાજીત દોઢ માસ છે. નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે. માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને કોણ મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે અનાથ આશ્રમના સંચાલકો દ્વારા બાળ સુરક્ષા વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે હાલમાં આ બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકની ઉંમર આશરે દોઢ મહિનાની છે. તો ઘટનાની જાણ થતા જ નડિયાદ પશ્ચિમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો પીઆઇ બી.પી.પટેલ નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને કોણ મૂકી ગયું તે દિશામાં તપાસ આગળ વધારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે.

 

આ પણ વાંચો: Mahisagar: લુણાવાડા હોસ્પિટલમાં આરોપીના ચેકઅપ માટે ગઈ પોલીસ, અને પછી જે થયું એ જાણીને તમને પણ થશે અચંબો

આ પણ વાંચો: Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">