Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

શામળાજી (Shamlaji) માં આવેલા મેશ્વો જળાશય (Meshwo Dam) માંથી 25 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, હાલની કાળઝાળ ગરમીમાં નદી સુકી ભઠ્ઠ બની છે અને પશુ પંખીઓની દયનીય હાલત હોવાને લઈ નિર્ણય કરવામાં આવ્યો

Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ
Meshwo Dam માંથી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે
| Updated on: Apr 28, 2022 | 10:29 AM

અરવલ્લી (Arvalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી પસાર થતી મેશ્વો નદીને ઉનાળામાં જીવંત કરવાનો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ શામળાજીમાં આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ તો જોકે જળાશયમાં પાણીનો જથ્થો મર્યાદિત છે, પરંતુ હાલમાં કાળઝાળ વરસી રહેલી ગરમીના દિવસોને લઈને પશુ-પંખીઓ સહિતને રાહત પહોંચે એ માટે થઈને સિંચાઈ વિભાગ દ્વારા નદીને જીવંત કરવા રુપ પાણી છોડવામાં આવ્યુ છે. જેનાથી નદી કાંઠા વિસ્તારોમાં પણ ભેજ વાળો માહોલ રહેશે. જોકે મેશ્વો નદી (Meshwo River) કોરી ધાકોર હોઈ અને ઉનાળાની આકરી ગરમી હોવાને લઈને નદીમાં પાણીનુ વહેણ વહીને ઝડપથી આગળના વિસ્તારોમાં પહોંચવુ ખૂબ જ મુશ્કેલ છે.

સિંચાઈ વિભાગના અધિકારી પાર્થ પટેલ દ્વારા આ અંગે માહિતી અપાઈ હતી. તેઓએ કહ્યુ હતુ કે, આ હાલના દિવસોમાં ખેડૂતો અને પશુ પંખીઓ સહિતની સ્થિતી ખૂબજ મુશ્કેલ છે. આવી સ્થિતીમાં ગરમીના દિવસો પસાર કરવા એ પશુ-પંખીઓ માટે મુશ્કેલ છે. તેમજ નદી પણ પણ સુકી ભંઠ ભાસી રહી છે. જેને લઈને નદીને જીવંત રાખવા અને નદીને ભેજયુક્ત રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. ઉનાળાની શરુઆતે અને રવિ સિઝન દરમિયાન પણ મેશ્વો જળાશય દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી પુરુ પાડવામાં આવ્યુ હતુ.

હાલમાં દૈનિક 25 ક્યુસેક પાણી નદીમાં છોડવાની શરુઆત કરવામાં આવી છે. મેશ્વો જળાશયમાં જોકે હાલમાં માત્ર 26.91 ટકા જ પાણીનો જથ્થો છે. જોકે તે પીવાના પાણી માટે પુરતો જથ્થો છે. જોકે આમ છતાં રાહત આપવા માટે થઈને નદીમાં પાણી છોડવા માટેનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને લોકોમાં પણ રાહતની લાગણી પેદા થઈ છે.

સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી પસાર થાય છે મેશ્વો નદી

203 કીલોમીટર લાંબી મેશ્વો નદી રાજસ્થાનમાંથી નિકળીને અરવલ્લી જિલ્લાથી પસાર થઈને સાબરકાંઠા જિલ્લામાંથી પણ પસાર થાય છે. ત્યાર બાદ તે અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી પસાર થાય છે જ્યાં ખેડામાં વાત્રક નદી સાથે મળીને સાબરમતી નદીમાં ભળે છે. અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને મોડાસા તાલુકામાંથી નદી પસાર થાય છે. શામળાજી નજીક આવેલ મેશ્વો જળાશય 17.21 હજાર હેકટર વિસ્તારને સિંચાઈ પુરુ પાડે છે.

આ પણ વાંચો : IPL 2022: ઉમરાનની ખતરનાક ઝડપી બોલીંગ, જેના હાર્દિક થી મનોહર સુધીના થઈ ગયા શિકાર, આટલી ઝડપે ફેંક્યા હતા બોલ, જાણો

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 9:13 am, Thu, 28 April 22