ગુજરાત રાજ્યમા તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા રાજય ભરમાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરી અભિયાન ઉપાડવામાં આવ્યું છે અમરેલી જિલ્લામાં 113 જેટલા અલગ અલગ પ્રવૃતિઓ સાથે જોડાયેલા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉપરાંત ગુન્હેગારોના રહેણાંક મકાન ઉપર ગેરકાયદેસર વીજજોડાણ કટ કરી દંડ કરી ગુન્હા નોંધવામાં આવ્યા છે અલગ અલગ રીતે સર્ચ કોમ્બિગની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં 20 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારના 150 જેટલા ઈસમો છેલ્લા 5 વર્ષમાં પાસા અને હદપારીની સજા ભોગવી ચૂકેલા ઇસમોને પોલીસ દ્વારા અમરેલી હેડક્વાર્ટર ખાતે એકત્ર કરી જરૂરી માર્ગદર્શન આપ્યું કાયદાકીય રીતે ગુના નોંધાયા બાદ પરિવાર બરબાદ થાય, જેના કારણે ગુનેગારોના પરિવાર મુશ્કેલીમાં ન મુકાય સહિતની બાબતે અને ગુના ન આચરવા માટે જરૂરી માર્ગદર્શક સૂચના આપી. એક રીતે ગુનેગારોને સમજાવવાનો પ્રયાસ કરી એક પોઝીટીવ રીતે પણ પોલીસ આગળ આવી રહી છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ કહ્યુ ગુનેગારો સમજાવતા કહ્યું કોઈ નાલાયકી કરશે તો પોલીસ ગમે તે હદ સુધી જવા તૈયાર છે. સરકારમાં કાયદા ખૂબ સરસ છે. ગુજસીટોક જેવા કાયદાઓ આવ્યા છે. કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો. ખોટી રીતે કોઈને હેરાન ન કરો. ગુજરાત શાંતિપ્રિય રાજય છે. શાંતિથી રહો, જો તમે કોઈ નાલાયકી કરશો તો અમારા અધિકારીને મેં બધી જ છૂટ આપી દીધી છે. કોણ કઈ ગાડી રાખે છે, કોણ કોણ શુ ધંધા વ્યાજ સહિતની બાબતે અમારા ધ્યાન ઉપર છે. તમારા બાળકો પરિવારની ચિંતા તમે કરો. થાણા અધિકારીઓને મારી સ્પષ્ટ સૂચના છે જે કડક કાર્યવાહી થતી હોય તે કરવી. આ છેલ્લી તક છે. આજની આ મારી સૂચના અને કાયદાની મર્યાદામાં રહેશો.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 10:10 pm, Fri, 21 March 25