ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પુરતો બંદોબસ્ત હોવા છતાં શ્રદ્ધાળુઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જેના કારણે મંદિરના વહીવટદારે મંદિર બંધ કરવાના સંકેત આપ્યા છે. દર્શનાર્થીઓની ભીડને જોતા દર્શનનો સમય વધારવા વિચારણા ચાલી રહી છે. તેમ છતાં જો ભીડ કાબૂમાં નહીં આવે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ.જે.ચાવડાએ આપ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો