Ahmedabad રેલવે સ્ટેશનથી ઉપડતી ત્રણ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશ્યલ, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે.
Western Railways
Follow us on
અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશ્યલ, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે:-
ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 12, 14 અને 16 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.
ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 10, 11, 13, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડી ને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.