જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી

|

Sep 06, 2023 | 11:13 PM

Ahmedabad:  TET-TAT પાસ ઉમેદવારોએ સરકાર સામે જ્ઞાનસહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે.  ઉમેદવારોએ વ્યથા ઠાલવતા જણાવ્યુ કે જો આ પ્રમાણે કરાર આધારિત ભરતી થશે તો તેમનુ કાયમી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે. આ તરફ કોંગ્રેસ પણ TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવી છે અને કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે કોંગ્રેસ કાયમી ભરતી માટે ઉમેદવારોનો સાથ આપશે.

જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી

Follow us on

Ahmedabad:  રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલ જગ્યા માટે કરાર આધારિત જ્ઞાનસહાયક ભરતીનો વિરોધ યથાવત છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સહાયક હનુમાન મંદિર TET-TAT પાસ ઉમેદવારોએ રામધુન બોલાવી. જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા.

હનુમાન મંદિરે રામધુન બોલાવી જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીનો વિરોધ

જ્ઞાન સહાયક શિક્ષકની કરાર આધારિત ભરતીના વિરોધ વચ્ચે ફોર્મ ભરવાની તારીખમાં શિક્ષણ વિભાગે વધારો કર્યો છે. જ્ઞાનસહાયક ભરતીમાં લાયક ઠરતા TET-TAT પાસ ઉમેદવારો શરૂઆતથી જ કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સહાયક હનુમાન મંદિરે વિદ્યાસહાયક ભરતીનો ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. યુવરાજસિંહ જાડેજા સહિત ઉમેદવારોએ હનુમાન મંદિરે રામધુન બોલાવી ભગવાન કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી હતી. પ્રાર્થનામાં TAT પરીક્ષામાં ટોપર રહેલ શુભમ રાઠોડ નામનો ઉમેદવાર પણ જોડાયો હતો. જેણે વ્યથા ઠાલવતા જણાવ્યું કે તે પરીક્ષામાં ટોપર રહ્યો છતાં તે સરકારી શિક્ષકની કાયમી નોકરી કરવા સક્ષમ નથી. કારણ કે સરકાર માત્ર કરાર આધારિત જ ભરતી કરવા માંગે છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી

માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત વિદ્યા સહાયકની ભરતી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર નિર્ધારિત કરાઈ હતી. જો કે ફોર્મ ભરવાની તારીખ લંબાવી 11 સપ્ટેમ્બર કરાઈ છે. મહત્વનું છે કે જે ઉમેદવારો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ અન્ય સાથીઓને આ ભરતીમાં ફોર્મ ના ભરવા માટેની પણ અપીલ કરી રહ્યા છે. એમનો દાવો પણ છે કે પૂરતા પ્રમાણમાં ફોર્મ ના આવતા તારીખ લંબાવવાનો વારો આવ્યો છે. જોકે સરકારમાંથી મળતી માહિતી મુજબ ભરતી માટે અંદાજિત 20 હજાર ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો:  ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌરક્ષકોએ પાલિકા પ્રમુખને જડી દીધી થપ્પડ, જુઓ Video

કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ:દોશી

રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં 30 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે કાયમી ભરતી કરી ઘટ પૂર્ણ કરવાને બદલે શિક્ષણમાં કોન્ટ્રાકટ પ્રથાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી એ જણાવ્યું કે સરકારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી ત્રણ મહિનામાં શરૂ કરવી જોઈએ. ભાજપ સરકાર જે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ના આધારે જ્ઞાનસહાય યોજના લાવી છે એ NEP માં જ ઉલ્લેખ છે કે રેગ્યુલર ફેકલ્ટી અને પરમેનન્ટ ટીચરની વ્યવસ્થા હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષ TET-TAT પાસ ઉમેદવારોના આંદોલનને વિધાનસભા અને રસ્તા પર સમર્થન આપશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:03 pm, Wed, 6 September 23

Next Article