PSM100: શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોનું સમર્પણ જોવા મળ્યું : કિંજલ દવે

|

Dec 23, 2022 | 2:19 PM

જાણીતા લોકગાયિકા કિંજલ દવેએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન તેમણે મહોત્સવ સ્થળે આવેલી વિવિધ ધાર્મિક કૃતિઓ નિહાળી હતી

PSM100: શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોનું સમર્પણ જોવા મળ્યું : કિંજલ દવે
Kinjal dave visit psm100

Follow us on

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકગાયિકા કિંજલ દવેએ પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે નગરના વિવિધ પ્રદર્શન તેમજ કલાકૃતિઓ નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નગરમાં આવીને અલૌલિક શાંતિનો અનુભવ તો થાય છે સાથે સાથે આ નગરની રચના જોઈને અહીના હરિભકતોનો સમર્પણનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. આ નગરની રચના અને સંચાલન એવી રીતે થાય છે જાણે કે અહીં કોઈ ટોપ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલન કરવામાં આવતું હોય જોકે, અહીં સમગ્ર સંચાલનનું માર્ગદર્શન અનુભવી સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. તેમજ શતાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણ અને પૂજય પ્રમુખ સ્વામી મહારાજના સિંદ્ધાતો તેમજ આદર્શોનું દર્શન પણ થાય છે.

 શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી હતી આદિવસી ગૌરવ દિનની ઉજવણી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ગુરૂવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે.

આદિવાસી ગૌરવ દિનનું આયોજન અમારા માટે ગૌરવની વાત: હર્ષ ચૌહાણ

આદિવાસી ગૌરવ દિનની ઉજવણીમાં પધારેલા  નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા વનવાસી સમાજ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, કારણકે બ્રિટિશ શાસનના સમય થી અમારા સમાજની સતત ઉપેક્ષા કરવામાં આવી છે .ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે અમારા સમાજને ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું અને જો આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર ચાલીશું તો આપણો દેશ વિકસિત દેશ બનશે કારણકે 12 કરોડ વનવાસીઓ આ દેશના નાગરિક છે અને તેમનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Next Article