Ahmedabad :અમદાવાદમાં 20 જૂન એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની (Lord Jagannath) 146મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ -33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને 19 જૂન 2023 ના કલાક રાત્રે 12 કલાકથી 20 જૂન 2023ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.
રથયાત્રાના દિવસે આ વિસ્તારોમાં પાર્ક નહીં કરી શકાય વાહન
જમાલપુર દરવાજા બહાર
જગન્નાથ મંદિર
જમાલપુર ચકલા
વૈશ્યસભા
ખમાસા
ગોળલીમડા
આસ્ટોડિયા ચકલા
મદન પોળની હવેલી
રાયપુર ચકલા
ખાડિયા ચાર રસ્તા
પાંચકુવા
કાલુપુર સર્કલ
કાલુપુર ઓવરબ્રિજ
સરસપુર
પ્રેમ દરવાજા
જોર્ડન રોડ
બેચર લસ્કરનની હવેલી
દિલ્હી ચકલા
હકીમની ખડકી
શાહપુર ચકલા
રંગીલા ચોકી
ઔવતમ પોળ
આર. સી. હાઇસ્કૂલ
દિલ્હી ચકલા
ઘી કાંટા રોડ
પાનકોર નાકા
ફુવારા
ચાંદલા ઓળ
સાંકળી શેરીના નાકેથી માણેક ચોક શાક માર્કેટ
દાણાપીઠ
ખમાસાથી જગન્નાથ મંદિર
Rathyatra 2023 : આટલા રુટ રહેશે બંધ
ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા,જમાલપુર ફુલ બજાર
મોડી રાત્રે 2 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા
સવારે 5 કલાકથી 11 કલાક અને સાંજે 5 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી