વડાપ્રધાન મોદી (PM Narendra Modi) આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. એક દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. PM મોદીનો પ્રથમ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયો. જે પછી તેમણે અમદાવાદના (Ahmedabad) બોપલ ખાતેના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપી.વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને લઈને પોલીસ(Gujarat Police) એલર્ટ પર છે. NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતના ખાનગી ક્ષેત્ર માટે મહત્તમ સરળતાનું વાતાવરણ ઊભું કરવાનો અમારો પ્રયાસ છે, જેથી દેશનું ખાનગી ક્ષેત્ર દેશવાસીઓને જીવનની સરળતામાં સમાન રીતે મદદ કરે. તેમણે કહ્યુ કે, IN-SPACE ભારતના યુવાનોને તેમની પ્રતિભા ભારતના શ્રેષ્ઠ દિમાગમાં પ્રદર્શિત કરવાની તક આપશે. પછી ભલે તેઓ સરકારમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં, IN-SPACE દરેક માટે શ્રેષ્ઠ તકો ઊભી કરશે:
IN-SPACe भारत के युवाओं को, भारत के best minds को अपना टेलेंट दिखाने का मौका देगा।
चाहे वो सरकार में काम कर रहे हों या प्राइवेट सेक्टर में, IN-SPACe सभी के लिए बेहतरीन अवसर बनाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 10, 2022
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, સ્પેસ ટેક્નોલોજી વિના આજના આધુનિક એવિએશન સેક્ટરની આપણે કલ્પના પણ નથી કરી શકતા. તેમણે જણાવ્યુ કે આ બધા સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા વિષય છે. તેમણે કહ્યુ કે સેટેલાઇટની મદદથી આજે હવામાનની ચોક્કસ માહિતી મળી શકે છે. કૃષિ ક્ષેત્રમાં પણ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
हमारे देश में अनंत संभावनाएं हैं, लेकिन अनंत संभावनाएं कभी भी सीमित प्रयासों से साकार नहीं हो सकतीं। मैं आपको आश्वस्त करता हूँ कि स्पेस सेक्टर में सुधारों का ये सिलसिला आगे भी अनवरत जारी रहेगा: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/0QHlSSxfth
— ANI_HindiNews (@AHindinews) June 10, 2022
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતનું અંતરિક્ષ અભિયાન આત્મનિર્ભર ભારતની ઓળખ બન્યો છે. હવે જ્યારે આ અભિયાનને ભારતના પ્રાઇવેટ સેક્ટરની તાકાત મળશે ત્યારે તેની શક્તિ કેટલી વધી જશે તેનો તમે અંદાજો લગાવી શકો છો. વડાપ્રધાને જણાવ્યુ કે સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનવાનું છે.
21वीं सदी में स्पेस-टेक एक बड़े क्रांति का आधार बनने वाला है। स्पेस-टेक अब केवल दूर स्पेस की नहीं, बल्कि हमारे पर्सनल स्पेस की टेक्नालजी बनने जा रही है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/qL4xlaqG9u
— ANI_HindiNews (@AHindinews) June 10, 2022
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતનો યુવાન રાષ્ટ્ર નિર્માણ માટે વધુને વધુ કામ કરશે. તેમણે જણાવ્યુ કે મોટા વિચારો વિજેતા બનાવે છે. સ્પેસ સેક્ટરમાં સુધારો કરીને, તેને તમામ પ્રતિબંધોથી મુક્ત કરીને, IN-SPACE દ્વારા ખાનગી ઉદ્યોગને ટેકો આપીને, દેશ આજે તેને વિજેતા બનાવવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યુ કે, IN-SPACE ભારતના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપશે. ભલે તેઓ સરકારમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં, IN-SPACE દરેક માટે ઉત્તમ તકો ઊભી કરશે. ઇન-સ્પેસમાં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે.
IN-SPACe भारत के युवाओं को अपना टेलेंट दिखाने का मौका देगा। चाहे वो सरकार में काम कर रहे हों या प्राइवेट सेक्टर में, IN-SPACe सभी के लिए बेहतरीन अवसर बनाएगा। IN-SPACe में भारत की स्पेस इंडस्ट्री में क्रांति लाने की क्षमता है: प्रधानमंत्री नरेंद्र मोदी, अहमदाबाद, गुजरात pic.twitter.com/GKADUJUH7d
— ANI_HindiNews (@AHindinews) June 10, 2022
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે IN- Spaceમાં ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ લાવવાની ઘણી ક્ષણતા છે. તેમણે જણાવ્યુ કે 21મી સદીની આધુનિક ભારતયાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે.
PM Modi Gujarat Visit Live : અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આ કાર્યક્રમ ભારતને સ્પેસના ક્ષેત્રમાં જાયન્ટ બનાવવા મોટુ પગલુ બનશે. તેમણે જણાવ્યુ કે નવા ક્ષેત્રો માટે ભારતનું બજાર ખુલ્લુ છે.
PM Modi Gujarat Visit Live : IN-SPACe સેન્ટરના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ગૃહ મંત્રીએ સંબોધન કર્યુ. તેમણે જણાવ્યુ કે, અંતરીક્ષના ક્ષેત્રમાં ભારત મોટી છલાંગ લગાવશે. ભારતીય અંતરીક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે.
PM Modi Gujarat Visit Live : ઈન-સ્પેસ સેન્ટરની કામગીરીની વાત કરવામાં આવે તો, આ સેન્ટરનો હેતુ પ્રાઇવેટ કંપનીને પ્રોત્સાહન આપવા માટેનો છે. પ્રાઈવેટ કંપનીને સ્પેસને લગતી કામગીરીમાં ઈન્વોલ્વ કરવાનો છે. ઈન-સ્પેસ એક અલગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એક અલગ સંસ્થા જ ઊભી કરવામાં આવી છે, જે પ્રાઈવેટ કંપની અને ઈસરોની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે.
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના બોપલમાં IN-space સેન્ટરનું ઉદઘાટન કર્યુ. જે પહેલા વડાપ્રધાન મોદીએ IN-SPACe સેન્ટરમાં અલગ અલગ સાધનોનું નીરિક્ષણ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. વડાપ્રધાને N-space સેન્ટરમાં નીરિક્ષણ કર્યુ. IN-SPACe ની સ્થાપનાની જાહેરાત જૂન 2020માં કરવામાં આવી હતી. તે સરકારી અને ખાનગી બંને સંસ્થાઓની અવકાશ પ્રવૃત્તિઓના પ્રચાર, પ્રોત્સાહન અને નિયમન માટે અવકાશ વિભાગમાં એક સ્વાયત્ત અને સિંગલ વિન્ડો નોડલ એજન્સી છે. તે ખાનગી સંસ્થાઓ દ્વારા ISRO સુવિધાઓના ઉપયોગની પણ સુવિધા આપે છે.
गुजरात: प्रधान मंत्री नरेंद्र मोदी ने अहमदाबाद में भारतीय राष्ट्रीय अंतरिक्ष संवर्धन और प्राधिकरण केंद्र (IN-SPACe) के मुख्यालय का उद्घाटन किया। pic.twitter.com/EF7j2vPwn2
— ANI_HindiNews (@AHindinews) June 10, 2022
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં તેમના શિક્ષકને મળ્યા. વડાપ્રધાનને મળીને તેમના શિક્ષક ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરમાં તેમના શિક્ષક પાસે શિક્ષણ મેળવ્યુ હતુ.
PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે અનેક નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ 20 વર્ષોમાં ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અભૂતપૂર્વ કામ થયું છે, શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી દરેક સ્તરે કામ થયું છે. તેમણે કહ્યુ કે ગ્રામ્ય વિસ્તારોમાં હજારો આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
PM Modi Gujarat Visit Live : નિરાલી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગેં વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યુ કે ગુજરાતમાં કેન્સરને ડામવા અનેક કામ થયા છે. ગુજરાતમાં મારી સરકારે બાળકો અને મહિલાઓના સ્વાસ્થય અને પોષણ પર કામ કર્યુ છે. 14 લાખ ગર્ભવતી મહિલાઓ ચિરંજીવી યોજનાનો લાભ લઈ ચૂકી છે. નવસારીના નાગરિકોને સંબોધનમાં તેમણે કહ્યુ કે, આજે નવસારીથી ધરતીથી દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગની સુવિધા શરૂ થઈ છે. સ્વાસ્થય ક્ષેત્રે નવી સુવિધા આજથી મળશે. ત્રણ વર્ષ પહેલા અહી કેન્સર હોસ્પિટલનુ શિલાન્યાસ મેં કર્યુ હતું. ટ્રસ્ટ ને તેમના પરિવારનો આભાર માનુ છું કે, આ પ્રકલ્પને એ રૂપમાં જોઉ છુ કે તે આ માસુમ નિરાલી માટે ભાવુક શ્રદ્ધાંજલિ છે.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने नवसारी में ए. एम. नाइक हेल्थ केयर कॉम्प्लेक्स और निराली मल्टी स्पेशलिटी अस्पताल का उद्घाटन किया। pic.twitter.com/HuYNk7rtBl
— ANI_HindiNews (@AHindinews) June 10, 2022
નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન થયુ.આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ L એન્ડ ટી ગ્રુપના ચેરમેનની પૌત્રીના મૃત્યુના કારણે નિર્માણ કરવામાં આવી હતી.આ મલ્ટી કેર હોસ્પિટલમાં કેન્સરના ઈલાજ માટે આધુનિક સુવિધા
કાર્ડિયાક, પીડિયાટ્રીક, સર્જરીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે.વર્લ્ડ ક્લાસ MRIની સુવિધાથી સજ્જ છે આ હોસ્પિટલ.
વડાપ્રધાન મોદીનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે.ચીખલીમાં PM એ 3050 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત ક્યું.ત્યાર બાદ તેમણે નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નુ પણ લોકાર્પણ કર્યું.કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો દ્વારા PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યુ.
Gujarat | PM Narendra Modi inaugurates and lays the foundation stone for multiple developments projects in Navsari pic.twitter.com/3spg4FqI61
— ANI (@ANI) June 10, 2022
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પહેલા અહીં એક પણ વિજ્ઞાનની શાળા નહોતી,પરંતુ 2001માં સતામાં આવ્યા બાદ મેં પહેલા આ વિસ્તારમાં વિજ્ઞાન શાળાની સ્થાપના કરી.જેનાથી આદિવાસી વિદ્યાર્થીઓ માટે પણ ઈજનેર અને મેડિકલનો અભ્યાસ શક્ય બન્યો.આજે આદિવાસી વિસ્તારમાં શાળાઓ નહીં પણ યુનિવર્સિટીઓ પણ બની રહી છે.ગોવિંદ ગૂરૂના નામે, બિરસા મુંડાના નામે યુનિવર્સિટી બનાવી. વિકાસ કરવો હોય તો જંગલ વિસ્તારમાં પણ જવુ પડે છે અને આ કરવા અમે પ્રયત્નશીલ છીએ.વધુમાં તેમણે કહ્યું કે,લાખો લોકોનું જીવન બદલવાનું અમારૂ આયોજન છે.
PM મોદીએ વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું કે, ‘અમારા કાર્યકાળમાં એક અઠવાડિયું શોધી લાવે જેમાં વિકાસનું કામ ન થયું હોય.’
PM મોદીએ કહ્યું, આઠ વર્ષો પહેલા તમે રાષ્ટ્રના વિકાસ કરવા મને દિલ્હી મોકલ્યો હતો. આ આઠ વર્ષોમાં વિકાસ અને આકાંક્ષા ઓને જોડવામાં કરોડો નવા લોકો અનેકો નવા ક્ષેત્રને જોડવામાં સફળતા પ્રાપ્ત થઈ. પહેલા અમારા ગરીબ, આદિવાસી, મહિલા, પછાત તેનુ પુરૂ જીવન પ્રાથમિક જરૂરિયાતો મેળવવામાં જ વ્યતિત કરતા. આ પહેલાની સરકારે વિકાસ કર્યો જ નહીં, કારણ કે આ કામ કરવા મહેનત વધારે કરવી પડે છે.
વધુમાં PM મોદીએ કહ્યું કે,મને 3050 કરોડ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપુજન કરવાનો મોકો મળ્યો.હું ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભારી છું, જેણે મને આ વિકાસકાર્યોમાં ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો.
ઉપરાંત વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર.પાટીલની પ્રશંશા કરતા જણાવ્યું કે, મારા કાળમાં જે ન થયુ, તે મારા સાથીઓએ કરી બતાવ્યું.જે મારા માટે ગૌરવની વાત છે.
CM ભૂપેન્દ્ર પટેલે જન સંબોધનમાં કહ્યું PM ના નેતૃત્વમાં ‘ જ્યાં માનવી ત્યાં સુવિધા’ નો ધ્યેય સિધ્ધ થયો.
ઉપરાંત મુખ્યપ્રધાને જણાવ્યું કે,આજે વલસાડની એસ્ટોલ પ્રોજેક્ટનું PM ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેનુ ભૂમિપુજન પણ PMના હસ્તે જ કરવામાં આવ્યુ હતુ.આ પાણીપુરવઠા યોજનાને કારણે 13.08 લાખ વસ્તીને પાણીની પુરતી સુવિધા મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એન્જિનિયરીંગની કમાલ ‘એસ્ટોલ પ્રોજેક્ટ’ શક્ય બન્યો છે.આ યોજના દ્વારા નેવાના પાણી ઉંચા ચડાવવા જેવી વાત છે.માત્ર 200-300 જેટલી વસ્તી ધરાવતા ગ્રામ્ય વસ્તીને પાણીની પુરતી સુવિધા મળી રહે તે માટે આ યોજના દ્રારા 100 પુટ ઉંચે પાણી લિફ્ટ કરવામાં આવશે.જે PM મોદીના નેતૃત્વમાં શક્ય બન્યુ છે.
વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યુ છે.
સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે વડાપ્રધાન 549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. નવસારી જિલ્લામાં 33 કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રોડનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
થોડીવારમાં PM મોદી નવસારી ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં તેઓ 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘નવસારી માનનીય વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે. ‘
#Navsari all set to welcome Hon’ble PM Shri @narendramodi ji.#GujaratGauravAbhiyan pic.twitter.com/RKTBLVOYYs
— Harsh Sanghavi (@sanghaviharsh) June 10, 2022
વતનમાં વડાપ્રધાન ‘વિકાસયાત્રા’ અવિરત#PMModi #PMModiinGujarat #PMModiGujaratvisit #navsari #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/HUxRE3fwJi
— Tv9 Gujarati (@tv9gujarati) June 10, 2022
પ્રધાનમંત્રી મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. PM મોદી અત્યારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે,થોડીવારમાં તેઓ નવસારી પહોંચશે.
#PMModiGujarat visit: PM @narendramodi lands at #Surat Airport #Gujarat #TV9News pic.twitter.com/P6J5Z1whKJ
— Tv9 Gujarati (@tv9gujarati) June 10, 2022
“આત્મનિર્ભર ભારત”ના પ્રણેતા, દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની પાવન ભૂમિ પર હૃદયપૂર્વક સ્વાગત છે.#GujaratGauravAbhiyan pic.twitter.com/ya9M6eTvCf
— Harsh Sanghavi (@sanghaviharsh) June 10, 2022
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, ‘રાષ્ટ્રવિકાસના ભગીરથ પ્રયાસો થકી ભારતને વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં મૂકનાર લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતની પુણ્ય ધરા પર રાજ્યના સૌ નાગરિકો વતી હાર્દિક સ્વાગત છે.’
રાષ્ટ્રવિકાસના ભગીરથ પ્રયાસો થકી ભારતને વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં મૂકનાર લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતની પુણ્ય ધરા પર રાજ્યના સૌ નાગરિકો વતી હાર્દિક સ્વાગત છે. pic.twitter.com/aRe95giPWC
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 10, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સુરક્ષા માટે 16 IPS, 1 IFS, 132 DYSP, 32 PI, 191 PSI અને 1718 ASI ખડેપગે રહેશે.ઉપરાંત ચેતક કમાન્ડો, NSG કમાન્ડો, 4 SRPની કંપની તેમજ 962 મહિલા પોલીસકર્મીઓને પણ તહેનાત કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા છે. જે ફાયર અને વોટરપ્રૂફ(Water Proof) છે. ડોમના એક છેડાથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે. તો 5 જિલ્લાઓમાંથી આવનારા લોકો માટે ખાસ પાર્કિગની(Parking) વ્યવસ્થા કરાઈ છે. ડોમથી પાર્કિંગ આશરે દોઢ કિલોમીટર દૂર રહેશે. તો આ ડોમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ રહશે.જેમાં 7 ડીસ્પેન્સરી રાખવામાં આવશે. કાર્યક્રમ સ્થળના ડોમ થી 500થી 700 મિટરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયા છે.
નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી અમદાવાદ આવવા રવાના થશે.જ્યાં બોપલ ખાતે નવનિર્મિત ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.
બપોરે સવા 12 કલાકે PM મોદી નવસારી ખાતે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે.આ સાથે નવસારીમાં PM મોદીનો ‘મેગા શો’યોજાશે.
PM મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો,સવારે સવારે 10 કલાકે PM મોદી નવસારી(Navsari) ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.
Published On - 9:09 am, Fri, 10 June 22