Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ, જુઓ Video

|

Jul 27, 2023 | 7:33 AM

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જે પણ વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલુ સ્ટિકર હશે તેને જ ગુજરાત યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે.

Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ, જુઓ Video
Gujarat University

Follow us on

Gujarat University  : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad:આડેધડ પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઠેકઠેકાણે કરી દેવાયેલા દબાણ, કાનુની સેવા સત્તામંડળે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ખૂલી AMCની પોલ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

જે પણ વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલુ સ્ટિકર હશે તેને જ ગુજરાત યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે.બહારથી આવતા લોકોને વાહન સાથે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા

ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં જુદા જુદા 55 ભવન આવેલાં છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો નિર્ણય પ્રથમવાર લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા આ નિણર્ય કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટીમાં સ્ટિકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે.

યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સ્ટિકર આપવામાં આવશે અને જે વાહનો પર સ્ટિકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. હાલમાં તમામ ભવનમાં ગુગલ ફોર્મ મારફતે ડેટા મેળવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.

પ્રવેશ માટે માત્ર 2 દરવાજા જ રખાશે ખુલ્લા

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાના કુલ 6 દરવાજા છે. જેમાંથી હવે 4 દરવાજા બંધ કરવામાં આવશે. અને પ્રવેશ માટે માત્ર 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવશે. એલ.જી એન્જિનિયરિંગ સામેનો ડો. બાબા સાહેબ આંબેડકર દરવાજો અને કે.એસ. સ્કૂલ તરફનો મુખ્ય ગેટ જ લોકોના પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી આવતા હોય તે વિદ્યાર્થીઓ પણ સ્ટીકર બતાવીને જ કેમ્પસમાં આવી શકશે. વાહન વિના ચાલીને આવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને પણ સ્ટિકર આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જેના આધારે તે પ્રવેશ મેળશે. વાહન લઇને આવતા લોકોની એન્ટ્રી કરીને જે તે વિભાગનું નામ લખીને યુનિવર્સિટીમાં જઈ શકશે. યુનિવર્સિટીમાં બિનજરૂરી આવીને બેસી રહેતા લોકો તથા રીલ્સ બનાવવા આવતા લોકો સહિત તમામ લોકોનો પ્રવેશ બંધ થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:38 pm, Wed, 26 July 23

Next Article