
ભારતમાં દર વર્ષે લગભગ 18 લાખ જેટલા દર્દીઓ બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બને છે. યોગ્ય હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા મોટા શહેરોમાં, દર્દીઓને વધુ સચોટ નિદાન તેમજ જરૂરી સારવાર મળી શકે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં આ ક્ષેત્રે આ પ્રકારની સેવાઓ મેળવવી પડકારરૂપ છે. તેવા સમયે એક ખાનગી હોસ્પિટલ અને ઈન્ડિયા મેડટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવી ભાગીદારી જાહેર કરાઈ જેના અંતર્ગત હબ-એન્ડ-સ્પોક નેટવર્ક બનાવીને ગુજરાતમાં બ્રેઇન સ્ટ્રોકના દર્દીઓને મદદ આપવા માટે કામગીરી કરાશે.
આ ભાગીદારી દ્વારા ગુજરાતભરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોકનો સામનો અસરકારક રીતે કરવામાં મદદરૂપ સાબિત થશે. હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ એક અદ્યતન રીતે દ્વારા કામ કરે છે જે સ્ટ્રોકના CT સ્કેનનું બારીકાઇથી અધ્યયન કરી શકે છે. આ અંગે સ્ટ્રોક નિષ્ણાતોની એક ટીમ જે તે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ CT સ્કેનનું નિરીક્ષણ કરશે અને સ્થાનિક ફિઝિશિયનને આગળની સારવાર કરવા માટે શરૂઆતથી અંત સુધીનું માર્ગદર્શન પૂરું પાડશે. આ રીતે સ્થાનિક સ્ટ્રોક સેન્ટરના ફિઝિશિયનો દર્દીની જરૂરિયાતો પ્રમાણે આગળની સારવારના પગલાં નક્કી કરવા માટે સશક્ત બનશે અને આ રીતે, દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી શકશે.
ખાનગી હોસ્પિટલ અને ઈન્ડિયા મેડટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવી ભાગીદારી જાહેર કરાઈ જેના અંતર્ગત હબ-એન્ડ-સ્પોક નેટવર્ક બનાવીને ગુજરાતમાં સ્ટ્રોકના દર્દીઓને મદદ આપવા માટે કામગીરી કરાશે. આ ભાગીદારીના ભાગ રૂપે, મેડટ્રોનિક સક્ષમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને અને સિલેક્ટ કરવામાં આવેલ હોસ્પિટલોમાં શિક્ષણ અને તાલીમને સમર્થન આપવા માટે સાધનો અને તકનીકો પ્રદાન કરીને ઇકોસિસ્ટમ બનાવવા માટે ખાનગી હોસ્પિટલ સાથે સહયોગ કરશે.
સિનિયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ & મેટાબોલિક ફિઝિશિયન તેમજ માર્ગદર્શક, ડૉ, વી, એન. શાહ દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવા પર ભાર આપતા કહે છે, “મેડિસિન ક્ષેત્ર દર્દીની આસપાસ બનેલું છે. આ અભિગમ આપણને સતત રચનાત્મક રહેવાના પથ પર લઇ જશે. ભારત જેવા દેશોમાં સ્ટ્રોક વિકલાંગતા ફેલાવનાર મુખ્ય રોગો માંથી એક છે. કોઈ પણ જાતના રોગની સારવાર હંમેશા તેના ઝડપી અને સચોટ નિદાનથી થાય છે. ગ્રામીણ સ્ટ્રોક સેન્ટરો દર્દીઓનું આયુષ્ય લાબું અને વધુ ગુણવત્તાસભર કરવામાં ચોક્ક્સપણે મદદરૂપ થશે.”
સિનિયર એન્ડોવાસ્કયુલર ન્યુરોસર્જન, ડૉ. કલ્પેશ શાહ કહે છે, “મગજ એ ખુબ જટિલ અંગ હોય છે અને સાથે સાથે તેની સાથે જોડાયેલા રોગો પણ એટલા જ જટિલ હોય છે. સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજ ઘણીવાર અપંગતાનું કારણ બને છે જે માત્ર દર્દી જ નહિ, તેના ઘર-પરિવારમાં બધા માટે તકલીફ હોઈ શકે છે. આ પ્રકારની બીમારીઓનુ જો સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં, યોગ્ય નિષ્ણાતો Al વડે સમયસર નિદાન કરી શકે, તો આ પ્રકારની સારવાર હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે પણ જીવ બચાવનાર સાબિત થતુ હોય છે.”
સિનિયર સ્ટ્રોક ન્યુરોલોજીસ્ટ, ડૉ. અરવિંદ શર્મા કહે છે, સ્ટ્રોક અટકાવી શકાય તેવા હોય છે. ‘ટાઈમ ઇઝ બ્રેઈન’ અને જો તમે હાયપરટેંશન, ડાયાબિટીસ તેમજ સ્થૂળતાને નિયંત્રણમાં રાખી શકો અને ધુમ્રપાન છોડી શકો, તો સ્ટ્રોકની શક્યતામાં ભારે ઘટાડો થઇ જતો હોય છે. જો કોઈને સ્ટ્રોકના કોઇ પણ લક્ષણો જણાય તો સમયસર યોગ્ય નિદાન કરોને શરૂઆતી કલાકોમાં સારવાર મેળવવી જરૂરી બની જાય છે. રિમોટ સ્ટ્રોક સેન્ટરોનું આ પ્રકારનું નેટવર્ક બનાવવાથી દર્દીઓ સુધી યોગ્ય સારવાર પહોંચાડી શકાશે.
સિનિયર કન્સલ્ટન્ટ (ન્યુરોસર્જરી), ડૉ. દિપક પટેલ પોતાનો અભિપ્રાય આપતા કહે છે કે, “બ્રેઈન સ્ટ્રોક હેમરેજ અથવા ઈનફાર્કશન (બ્લોકેજ)ના સ્વરૂપે થઇ શકે છે. શરૂઆતની 6 કલાકો (ગોલ્ડન) અવર્સમાં સારવાર લેવાથી આવા કેસોમાં વધુ સારું પરિણામ મળી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં લોહીની ગાઠને નિષ્કાસિત કરી બંધ થયેલી રક્તવાહિનીને ફરી ખોલવાની અને ઇમરજન્સી સર્જરીઓ હેમરેજ અથવા ઈનફાર્કશનમાં ખુબ અસરકારક સાબિત થાય છે અને સારું પરિણામ આપે છે.”
મેડટ્રોનિક ઇન્ડિયાના ઉપ-પ્રમુખ માઈકલ બ્લેકવેલનું કહેવું છે કે, “મેડટ્રોનિક પર અમે વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઝડપી વિકાસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જેથી દર્દીઓ કોઈ પણ રોગચાળા માંથી બહાર આવી પોતાનું જીવન પહેલાની જેમ જ વિતાવી શકે. અમે દેશભરમાં સતત વિવિધ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી ભારતમાં સ્ટ્રોકના દર્દીઓની સંભાળમાં ક્રાંતિ લાવવાના હેતુને આગળ લઇ જઇએ છીએ. આ ભાગીદારીઓ દ્વારા સાથે મળીને, અમે હેલ્થકેર ક્ષેત્રે સ્થાનિક સાર-સાંભળના અવરોધોને દૂર કરવા માટે ટેકનોલોજીને એકીકૃત કરવામાં સક્ષમ છીએ ”
આ પણ વાંચો : Gujarati Video: ભાવનગરના મોરચુપણા ગામમાં અનુસૂચિત જાતિના લોકોને અલગ ભોજન અપાતા વિવાદ વકર્યો
Published On - 9:42 pm, Thu, 16 February 23