Botad Tragedy : એમોસ કંપની પર નશાબંધી વિભાગે કાર્યવાહીની નોટિસ લગાડી, અનેક નવા ખુલાસા સામે આવ્યા

|

Aug 06, 2022 | 6:34 PM

Botad Tragedy : એમોસ કંપનીના માલિકોએ ગંભીર બેદરકારીનો દાખવી હોવાનો નોટીસમાં ઉલ્લેખ છે.તેમજ કંપનીનો પરવાનો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કંપનીના ડાયરેકટરોએ નોકરને કેમિકલ તેની મરજી મુજબ વેચવાની છૂટ આપી હતી જેથી માલિકો સીધા જવાબદાર બને છે.

Botad Tragedy : એમોસ કંપની પર નશાબંધી વિભાગે કાર્યવાહીની નોટિસ લગાડી, અનેક નવા ખુલાસા સામે આવ્યા
AMOS Company Ahmedabad
Image Credit source: File Image

Follow us on

Botad Tragedy: બોટાદ- બરવાળા ઝેરી દારૂ કાંડ કેસમાં એમોસ કંપની(AMOS)પર નશાબંધી વિભાગે(Narcotics Control Bureau) કરેલી કાર્યવાહીની નોટિસ લગાડવામાં આવી છે . જેમાં એમોસ કંપનીમાંથી મીથાઇલ કેમિકલ વાપરવામાં આવ્યું હતું. તેમજ નશાબંધીની કાર્યવાહીમાં અનેક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યાં છે. જેમાં એમોસ કંપનીના માલિકોએ ગંભીર બેદરકારીનો દાખવી હોવાનો નોટીસમાં ઉલ્લેખ છે.તેમજ કંપનીનો પરવાનો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કંપનીના ડાયરેકટરોએ નોકરને કેમિકલ તેની મરજી મુજબ વેચવાની છૂટ આપી હતી જેથી માલિકો સીધા જવાબદાર બને છે. એમોસ કંપનીમાં મુખ્ય સંચાલક તરીકે જયેશને રાખવામાં આવ્યો હતો. જેમાં ગોડાઉન ખર્ચ, અન્ય ખર્ચ, પેકિંગ ખર્ચ સહિતના ખર્ચ માટે બે વર્ષમાં જયેશને કંપનીએ 35 લાખથી વધુ રકમ ચૂકવી હતી. જયેશને નોકરીએ રાખ્યો હતો તેનાં દસ્તાવેજી પુરાવા પણ સામે આવ્યા છે.

આ દરમ્યાન ગુજરાતમાં  બોટાદ -બરવાળા ઝેરી દારૂકાંડ(Botad Tragedy)  કેસમાં આજે બરવાળા કોર્ટમાં Amos કંપનીના માલિક સમીર પટેલ સહિત પાંચ લોકોએ આગોતરા જામીનની( અરજીની સુનવણી કરી હતી. જેમાં સેશન્સ કોર્ટમાં અરજીને લઇને હીયરીગ સરકારી વકીલ તરીકે ઉત્પલ દવે રહ્યા હાજર રહ્યા હતા. જેમાં વકીલની સામસામી દલીલોના અંતે 10 તારીખના રોજ આગોતરા જામીનને લઈને કોર્ટ ચુકાદો આપશે.

ગુજરાત હાઇકોર્ટ  આગોતરા જામીન  સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

આ પૂર્વે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટે (Highcourt)  આગોતરા જામીન  સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી હતી..આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે જેની હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી હતી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. આ સાથે મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની હાઇકોર્ટ માં દલીલ હતી પરંતુ આરોપી તરફી તમામ દલીલોને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

SMCના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.

બોટાદમાં થયેલા ઝેરી દારૂકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે “બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?” ,આ સાથે કોર્ટે તે પણ ઉમેર્યું કે મિથેનોલ માટેના લાયસન્સ ની આકરી શરતો હોય છે અને આ સમગ્ર બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે. હાઇકોર્ટ ની સુનાવણીમાં SIT નાં તમામ તપાસ અધિકારી અને SMCના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.

(With Input, Harin Matravadiya, Ahmedabad ) 

Next Article