Gujarat હાઇકોર્ટેમાં કોર્પોરેશનનું સોગંદનામું, ફાયર સેફટીના નિયમનો ભંગ કરનારા એકમો સામે કરશે આ કાર્યવાહી

અમદાવાદમાં (Ahmedabad) 1128 રહેણાંક ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમારતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી,

Gujarat હાઇકોર્ટેમાં કોર્પોરેશનનું સોગંદનામું, ફાયર સેફટીના નિયમનો ભંગ કરનારા એકમો સામે કરશે આ કાર્યવાહી
Ahmedabad Fire Safety
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:45 PM

ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) ફાયર સેફ્ટીની (Fire Safety) અમલવારી આ મામલે કરવામાં આવેલ જાહેર હિતની અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી. આ સુનાવણીમાં અમદાવાદ મહાનગરપાલિકા(Ahmedabad)તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે, કે ફાયર સેફટી એક્ટનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરશે. આ માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેસિગ્નેટેડ કોર્ટ જાળવવા માટે પણ રજૂઆત કરી છે જેથી કેસોનો નિકાલ સરળતાથી થઈ શકે. આ મામલે ચીફ જસ્ટિસ દ્વારા પણ ડેસિગ્નેટેડ કોર્ટ માટે હાઇકોર્ટ તરફથી વહીવટી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. આ સુનાવણી દરમિયાન મુખ્ય ખંડપીઠે ટકોર કરી કે, જે રહેણાંક એકમો ફાયર સેફ્ટીની અમલવારી ન કરતા હોય તો ‘તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી  નાખવા જોઈએ, જેથી કરીને તેઓ સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરશે.

259 ઇમારતો પાસે ફાયર NOC નથી

આ ઉપરાંત  પરંતુ એ વાતની પણ નોંધ લીધી કે શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ છે. જો કોમર્શિયલ એકમમાં આગ લાગે તો, રહેણાંક મકાનો સુધી પહોંચી શકે છે. જેથી તેમની સામે કાર્યવાહી ઝડપી અને જરૂરી છે’અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે સોગંદનામુ પણ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં 1128 રહેણાંક ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમારતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી, મતલબ કે કુલ 1416 ઇમારતો પાસે ફાયર NOC નથી.

17 જેટલી સરકારી કોલેજોમાં ફાયરસેફ્ટીનો અભાવ

બીજી તરફ રાજ્ય સરકાર વતી પણ સમગ્ર રાજ્યની પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. ચોકાવનારી બાબત એ આવી છે કે 85 ટકા ઇમારતો BU પરમિશન વિનાની છે. રાજ્યમાં કુલ 1360 થી વધુ સરકારી શાળા છે. જેમાં 12 જેટલી શાળામાં ફાયર સેફટી હોવાનું સામે આવ્યું છે, જ્યારે 17 જેટલી સરકારી કોલેજોમાં ફાયરસેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેથી  ફાયર સેફ્ટી એન. ઓ.સી. વિનાની સરકારી શાળાઓ અને કોલેજો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે. સાથે જ ટકોર કરી છે ‘કે સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકે’

Published On - 4:42 pm, Tue, 14 June 22