દસ દિવસથી રંગેચંગે સ્થાપન કરવામાં આવ્યું હોય તેવા વિધ્નહર્તાને આજે અનંત ચતુદર્શીના (Anant Chaturdashi) દિવસે ભાવભીની વિદાય આપવામાં આવશે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જનને (Ganesh visrajan 2022) પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટેના કુંડ રિવર ફ્રન્ટ (River front )ખાતે કરવામાં આવી હોવાથી શહેરમાં એસટીથી જમાલપુર બ્રિજ થઈને પાલડી ચાર રસ્તા તરફ જવાનો રસ્તો બંધ રહેશે. ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદમાં મનપા તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 70થી વધુ વિસર્જન કુંડ તૈયાર કર્યાં છે
રિવરફ્રન્ટ ઉપર વિસર્જન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ગણપતિ વિસર્જન નિમિત્તે શહેરમાં 46 નાની-મોટી શોભાયાત્રા નીકળશે ત્યારે ગણપતિની શોભાયાત્રા અને વરઘોડા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. 8 હજાર પોલીસકર્મીઓ, SRPની 11 અને RAFની 1 કંપની તૈનાત રહેશે તેમજ કોઈ ડૂબી ન જાય તે માટે જડબેસલાક આયોજન કરાયું છે વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ ટીમ, ક્રેન, બોટ, તરવૈયા સાથે તૈનાત રહેશે. ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે.અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે.આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Published On - 8:49 am, Fri, 9 September 22