Ahmedabad : 1 ઓક્ટોબરથી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો વિગતે
1 ઓક્ટોબર થી અમદાવાદ(Ahmedabad) રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે
ડબલ ટ્રેકને કારણે ટ્રેન સેવા થશે પ્રભાવિત
Image Credit source: File Image
Follow us on
1 ઓક્ટોબર થી અમદાવાદ (Ahmedabad) રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ(Time Table) લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમાંની કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
મંડળ પર ટ્રેન નંબર 14707/08ના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર
•ટ્રેન નંબર 14707 બીકાનેર-દાદર એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 19:18 કલાકને બદલે 23:30 કલાકે, મહેસાણા 20:29 કલાકને બદલે 00.35 કલાકે, કલોલ 21:15 કલાકને બદલે 01:20 કલાકે, સાબરમતી 22.01 કલાકને બદલે 01.41 કલાકે તથા અમદાવાદ સ્ટેશન પર 22.50 કલાકને બદલે 02.30 કલાકે પહોંચીને થી દાદર માટે પ્રસ્થાન કરશે.
•ટ્રેન નં.14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર 21:40 કલાકને બદલે 01:10 કલાકે, સાબરમતી 22:16 કલાકને બદલે 00.38 કલાકે, કલોલ 22:35 કલાકને બદલે 00.55 કલાકે, મહેસાણા 23 :24 કલાકના બદલે 01.40 તથા પાલનપુર 00.50 કલાકને બદલે 03.45 કલાકે પહોંચીને બીકાનેર માટે પ્રસ્થાન કરશે.
અમદાવાદ મંડળની આ ટ્રેનો ઉપરાંત અન્ય ઘણી ટ્રેનોના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવેલ છે.જેની યાદી સામેલ છે.
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે અને આ ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.