AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે

Ahmedabad: દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસમાં ઉછાળો આવતાં ફરી એકવખત કોરોના વકરવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જેને લઈને શહેર પોલીસ હવે એક્શનમાં આવી છે.

Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે
Ahmedabad: The city's police are now in action over Corona Guideline
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 12:40 PM
Share

અમદાવાદ શહેરમાં કોરોના વકરવાની ભીતિને લઈ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. દિવાળી બાદ કોરોના વધવાની શક્યાતાના પગલે તંત્ર સજાગ બન્યું છે. તો શહેરના પોલીસ સ્ટેશનોમાં હવે કોરોના ગાઈડલાઈન ઉલંઘનને લઈને નોંધાતી ફરિયાદોમાં વધારો આવી શકે છે.

શહેરમાં દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસમાં ઉછાળો આવતાં ફરી એકવખત કોરોના વકરવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આગામી 15 દિવસ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી પૂરતી કાળજી નહીં લેવાય તો કોરોના ફરી વકરી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે. આ સંજોગોમાં નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને નિયમિતપણે માસ્ક પહેરે તે માટે પોલીસ એક્શનમાં આવી છે.

દિવાળીના સમયગાળામાં અમદાવાદ શહેરમાં દરરોજ માંડ 20-25 નાગરિકો સામે ગુના નોંધાતા હતા તે વધવાની શક્યાતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કુલ 90 હજાર 357 ગુના નોંધાઈ ચૂક્યા છે. તો આવામાં કોરોના વધતા પોલીસે ચેકિંગ સઘન કર્યું છે.

તમને જણાવી દઈએ કે એક અહેવાલ અનુસાર અમદાવાદમાં રવિવારે શહેર પોલીસે 181 ગુના નોંધીને 183 લોકોની અટકાયત કરી હતી. તો સોમવારે 200 થી વધુ ગુના સામે આવ્યા હતા. ત્યારે માસ્ક ન પહેરવામાં પણ 447 લોકો પાસેથી 500 – 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે કોરોનાના દોઢ વર્ષના સમયગાળાના આંકડા ચોંકાવનારા છે. જેમાં શહેર પોલીસે અત્યાર સુધીમાં 90357 ગુના નોંધ્યા છે. તેમજ 99365 લોકોની અટકાયત કરેલી છે. જેમાં જાહેરનામાં ભંગના 11713 ગુના, એપેડેમિક એક્ટ હેળઠ 4733 ગુના, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 73791 ગુના નોંધવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Vadodara: 5 એજન્સી અને 35 ટીમો, છતાં યુવતીના આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં આરોપીઓ કેમ પોલીસની પકડથી દૂર?

આ પણ વાંચો: NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">