Gujarati NewsGujaratAhmedabadAhmedabad Railway Timings of some trains changed due to G20 Summit Some railway trains have been cancelled Gorakhpur Delhi
Ahmedabad Railway: કૃપયા ધ્યાન દે! G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર, જાણો કઈ રદ કરાઈ
G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ગોરખપુર કેંટ યાર્ડ રિમોડલિંગની કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેંટ યાર્ડના રિમોડલિંગ અને ગોરખપુર કેંટ-કુમમ્હી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશનિંગ સંબંધિત નોન ઇન્ટરલોકિંગ કામગીરી ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે.
G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ગોરખપુર કેંટ યાર્ડ રિમોડલિંગની કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેંટ યાર્ડના રિમોડલિંગ અને ગોરખપુર કેંટ-કુમમ્હી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશનિંગ સંબંધિત નોન ઇન્ટરલોકિંગ કામગીરી ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. કેટલીક ટ્રેનને સંપૂર્ણ પણે રદ કરવામાં આવી છે, જ્યાર કેટલી ટ્રેનના રુટને ફેરફાર કરવામાં આવ્યા છે.
पूर्वोत्तर रेलवे के गोरखपुर कैंट यार्ड रिमॉडलिंग एवं गोरखपुर कैंट-कुसम्ही स्टेशनों के बीच तीसरी लाइन कमिशनिंग के संबंध में नॉन इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद मण्डल की कुछ ट्रेनें प्रभावित रहेगी। @WesternRlypic.twitter.com/EHHsyc2K2x
7 અને 8 સપ્ટેમ્બર 2023ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રદ થશે.
10 અને 11 સપ્ટેમ્બર 2023ના રોજ મુઝફ્ફરપુરથી ઊપડનારી ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન રદ થશે.
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો
6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદથી ઊપડનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન ભટણી જં સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ થશે અને ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત થશે.
7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર 2023 સુધી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગોરખપુના બદલે ભટની જં. સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) થશે અને આ ટ્રેન ગોરખપુર અને ભટની જં. વચ્ચે આંશિક નિરસ્ત થશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેન
દિલ્હી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત G20 સમિટ 2023 માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેન હેન્ડલિંગ નું આયોજન કર્યું છે. આ ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
8મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.
10મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.
વધારાના સ્ટોપેજ
ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ જે 10મી સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી મુસાફરી શરૂ કરે છે તેને બદલી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
09મી સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીથી શરૂ થતી ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસને દિલ્હી શાહદરા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.