Ahmedabad: ફાયર વિભાગે દિવાળીમાં 200 દુકાનોને આપી ફટાફડા વેચવા માટે એનઓસી

દિવાળી પર્વને(Diwali 2022)ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે. જેને લઈને અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોટી સંખ્યામાં ફટાકડાની દુકાન(Fire Crackers Stall)અને તંબુ લાગી જતા હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી આ વર્ષે માત્ર 200 લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર noc મળી છે.

Ahmedabad: ફાયર વિભાગે દિવાળીમાં 200 દુકાનોને આપી ફટાફડા વેચવા માટે એનઓસી
Ahmedabad Fire crackers Shop
Image Credit source: File Image
| Edited By: | Updated on: Oct 23, 2022 | 6:59 PM

દિવાળી પર્વને(Diwali 2022)ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે. જેને લઈને અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોટી સંખ્યામાં ફટાકડાની દુકાન(Fire Crackers Stall)અને તંબુ લાગી જતા હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી આ વર્ષે માત્ર 200 લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર noc મળી છે. બાકીના લોકો ગેરકાયદે ફટકડાનું વેચાણ કરી રહ્યા છે. દિવાળી આવતા શહેરમાં ફટાકડાની દુકાનો શરૂ થઈ જતી હોય છે. તંબુ લાગી જતા હોય છે. હાટડીઓ શરૂ થઈ જતી હોય છે. જોકે તેમાંથી કેટલી કાયદેસર અને કેટલી ગેરકાયદેસર છે તે સવાલ ઉભો થતો હોય છે. કેમ કે આમાંથી જ કેટલીક હાટડીઓ. તબુ અને દુકાન ની બેદરકારી મોટી ઘટના નોતરી શકે છે. જેમાં ફાયર એનઓસી અને પોલીસ મંજૂરી ફરજીયાત કરાઈ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હજારોની સંખ્યામાં ચાલતી દુકાન. તંબુ અને હાટડીઓ માંથી 200 ઉપર એ જ ફાયર એનઓસી માટે મંજૂરી આપી છે.

દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની વાત માનીએ તો છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે દુકાનો ઓછી લાગી હતી. જોકે આ વર્ષે માહોલ જામતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી છે તો તે ભીડને પહોંચી વળવા લોકોએ દુકાનો પણ ખોલી છે. જેના કારણે દર વર્ષની સરખાણીએ આ વર્ષે 25 અરજી વધુ આવી. એટલે કે દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી. જેની સામે આ વર્ષે સંખ્યા વધી છે. જોકે શહેરમાં હજારોની સંખ્યામાં ચાલતી દુકાન. તંબુ અને હાટડીઓ સામે આ સંખ્યા નહિવત સંખ્યા ગણી શકાય. જોકે તેમ છતાં તંત્ર આંખ કાન આડા હાથ કરીને બેસી રહી મોટી ઘટના બનવાની રાહ જોતું લાગી રહ્યું છે. કેમ કે અગાઉ ના વર્ષોમાં શહેરમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું સામે આવી ચૂક્યું છે.

જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કેટલીક બાબતો પર ધ્યાન રાખવાનું સૂચન પણ કર્યું. તપ આ તરડ ફટાકડા વેચાણ કરતા લોકોએ તમામ બાબતોનું ધ્યાન રાખી અને મંજૂરી લીધા બાદ વેચાણ કરતા હોવાનું જણાવ્યું. તેમજ લોકોને તકેદારી રાખવા સૂચન પણ કર્યું છે.

 

Published On - 6:56 pm, Sun, 23 October 22