Ahmedabad: પિતા પુત્રના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, દારૂ પિવાની લતે ચડી ગયેલા પુત્રની હત્યા કરી નાખી

અમદાવાદ શહેરમાં પિતા પુત્ર પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતાએ જ તેના પુત્રની હત્યા કર્યાનું સામે આવ્યું છે આ અંગે બીજા પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

Ahmedabad: પિતા પુત્રના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, દારૂ પિવાની લતે ચડી ગયેલા પુત્રની હત્યા કરી નાખી
મૃતક ભવાન ભરવાડ (File photo)
| Edited By: | Updated on: Feb 06, 2022 | 4:14 PM

અમદાવાદ શહેરમાં પિતા પુત્ર પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ તેના પુત્રની હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ અંગે બીજા પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે, પણ અમદાવાદમાં દારૂને લઈને એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી. દારૂ પીવાની લતે પુત્ર ચઢી જતા પિતા સાથે બબાલ કરનાર આ પુત્રને એવો ફટકાર્યો કે જેમાં પુત્રનું મોત નિપજતું. જે અંગે બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ કરતા પોલીસે પિતા ને ઝડપી કાર્યવાહી કરી છે..

ઘટના એમ બની કે સરદાનગરમાં આવેલ સુભાષનગરમાં શર્માજીની ચાલીમાં એક દિવસ પહેલા હત્યાનો બનાવ સામે આવ્યો. જેની પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી તો સામે આવ્યું કે એક પિતા એ જ તેના પુત્રની માર મારી હત્યા કરી. જે ઘટના અંગે મૃતકના ભાઈ એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી કરી.

તપાસમાં હત્યાનું કારણ દારૂ હોવાનું સામે આવ્યું.

મૃતક ભવાન ભરવાડ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાથે દારૂ પીવાની ટેવ પણ ધરાવતો હતો. તેમજ પત્ની સાથે મનદુઃખ થતા પત્ની પણ પિયરમાં ગઈ હતી. દારૂ પીવાની ભરવાડ સમાજમાં મનાઈ હોવા છતાંય મૃતક દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને પિતા સાથે અવાર નવાર ઝગડા કરતો હતો. ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું હતું અને પિતાએ ઝગડો થતા પુત્રને ફટકાર્યો હતો. અને એટલો ફટકાર્યો કે પુત્રનું મૃત્યુ થયું.

ઘટના બનતા જ ફરિયાદી પુત્રએ પિતા ને જેલ હવાલે જોવાનો વારો તો આવ્યો જ પણ ભાઈને ખોવાનો પણ વારો આવ્યો એ પણ એક દારૂની બાબતમાં. ત્યારે દારૂ હકીકતમાં એક દુષણ છે તે ફરીએક વાર આવી ઘટના પરથી સાબિત થાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન, 6 લોકોને નવજીવન મળશે

આ પણ વાંચોઃ લતા મંગેશકરનું અમરેલી કનેક્શન, રાજુલા તાલુકાના મોરંગી ગામમાં બંધાવ્યું સાઈબાબાનું ભવ્ય મંદિર, જાણે શું છે તેની પાછળની હકિકત

Published On - 4:10 pm, Sun, 6 February 22