
અમદાવાદ(Ahmedabad)જિલ્લાની ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરી આગ( Fire) લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ચાંગોદર મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મોરૈયા પાસે આવેલ સહારા પેટ્રોલિયમ નામની ફેક્ટરીમાં ત્રણ મજૂરના(Labour)મોત થયા છે. જેમાં ઓઇલ ટેન્ક સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરના મોત થયા છે. તેમજ ગુંગળામણના કારણે મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટના પ્લોટ નંબર 19/dમાં બન્યો છે. તેમજ ફાયરની ટીમ દ્વારા તમામ મૃતદેહને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
અમદાવાદ: ચાંગોદર મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ફેક્ટરીમાં ત્રણ મજૂરોના મોત, ઓઇલ ટેન્ક સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરના મોત #TV9GujaratiNews pic.twitter.com/ICpvnbyTpv
— Tv9 Gujarati (@tv9gujarati) October 22, 2022
Published On - 5:34 pm, Sat, 22 October 22