અમદાવાદના બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે 5 ઈજાગ્રસ્તોને અસારવા સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. ટ્રકે ST બસને ટક્કર મારતાં બસ ગટરના પાણીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મદદે દોડી આવ્યાં હતા અને અનેક લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યારે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનનારા પરિવારો મજૂરી માટે જેતપુર જતા હતા અને રાત્રે 2 વાગ્યે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા.
[yop_poll id=”1″]