અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી છે. વધુ એક કેસમાં રમણ પટેલ અને દશરથ પટેલની ધરપકડ કરાઈ છે. થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે જેને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો છે. ૩૦ વર્ષ પહેલા મૂળ ખેડૂત પોચાભાઈ વિરમભાઈ બારોટના નામે બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરીને રમણ પટેલે આ જમીન સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને વેચી હતી. મુળ ખેડૂત પરીવારના એડવોકેટ હાર્દિક એચ. બારોટનો સંપર્ક કરતા તેમણે કહ્યુ કે, બનાવટી પાવર ઓફ એટર્નીથી વર્ષ ૧૯૯૧માં જે મંડળીમાં જમીનનું હસ્તાતંરણ થયુ તે ખેડૂત ખાતેદાર જ નહોતા ! આ ષડયંત્રને છૂપાવવા રમણ પટેલે આખી મંડળીને જ કો-ઓ.હાઉસિંગ મંડળી બનાવી કાઢી. જેના માટે કોઈ મંજૂરી પણ લેવાઈ નહોતી. આમ એક બાદ એક કુલ 6 મંડળીઓમાં જમીન તબદિલ કરીને જમીન પોતાના નામે ચડાવી હતી જેમા પોતાને અને પરિવારના સભ્યોને સભાસદ બનાવ્યા હતા અને તેમના નામે જમીન લઈ લીધી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 9:47 am, Thu, 5 November 20