ગઢડા બાદ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના જંગમાં બોગસ મતદાનનો લાગ્યો આક્ષેપ

|

May 12, 2019 | 5:57 AM

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો, મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો છે. મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો […]

ગઢડા બાદ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના જંગમાં બોગસ મતદાનનો લાગ્યો આક્ષેપ

Follow us on

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો, મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો છે. મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો છે. જો કે આચાર્ય પક્ષે આ આરોપને ફગાવી દીધો છે. મહત્વનું છે કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે. જેમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. જૂનાગઢ મુખ્ય મંદિર હેઠળ 700 ગામ આવે છે. જેમાં 27 હજારથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં 4 હરિભક્તો, 2 સંતો અને 1 પાર્ષદ નક્કી કરશે. આ 7 બેઠક માટે 14 ઉમેદવારો મેદાને છે.

TV9 Gujarati

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

મહત્વનું છે કે, ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ શનિવારે જ વહીવટી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. અને મતદાન દરમિયાન હરિભક્તો તેમજ સાધુ સંતોને કોઈ અડચણ ન પહોંચે તે માટે મંદિરના અતિથિ ભવનના પરિસરમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં મતદાન માટે કુલ 29 બુથ ઉભા કરવામાં આવ્યા છે. તો આકરા તાપને કારણે મતદારોને કોઈ તકલીફ ન પહોંચે તે માટે મંડપ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજિત 28 હજાર જેટલા મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે માટે ચૂંસ્ત પોલીસ બંદોબસ્તમાં મતદાન કરવામાં આવશે. મહત્વનું છે કે હાલમાં જ ગઢડા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે. ત્યારે જૂનાગઢ ગાદી પર આચાર્ય પક્ષને હરાવી દેવપક્ષની નજર જીત પર રહેલી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article