રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપો, કહ્યુ ”અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી પાર્ટી ઉપર નહી આવે”

|

Feb 23, 2022 | 12:43 PM

દિનેશ શર્માએ એમ પણ જણાવ્યુ કે ચૂંટણી નજીક આવી રહી છે, પણ કોંગ્રેસ પાસે એકપણ બુથની યાદી તૈયાર નથી. કોંગ્રેસ માત્રને માત્ર વાતો જ કરે છે.

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં હાલમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક પછી એક કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. હાલમા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવો ઘાટ સર્જાયો છે. AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા (Dinesh Sharma)એ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ (Resignation) આપ્યા બાદ પ્રદેશની નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યો છે. સાથે જ કહ્યુ કે અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી પાર્ટી ઉપર નહી આવે.

રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી કે વેપારી ?આ સણસણતો સવાલ કર્યો છે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ. પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ રઘુ શર્મા સહિત પ્રદેશ નેતાગીરી સામે ગંભીર આરોપો લગાવ્યા અને પક્ષના નેતાઓએ જ પક્ષને નુકસાન પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો.એટલું જ નહીં ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં હોવાનો પણ દિનેશ શર્માએ આરોપ લગાવ્યો અને કાર્યકરો સાથે અન્યાયની વાત કરી. તેમણે કહ્યુ કે ગુજરાતમાં તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળતા નથી. જો ગુજરાતને કોંગ્રેસમાં ઊભી કરવી હોય તો કોંગ્રેસના તમામ આગેવાનને તે મળે. માત્રને માત્ર તેમને લાભ કરાવે તેવા વ્યક્તિને ન મળે.

તો દિનેશ શર્માએ રઘુ શર્મા સાથે અહેમદ પટેલના નવ રત્નો સામે પણ નિશાન તાક્યું. દિનેશ શર્માનો સીધો આરોપ છે કે અહેમદ પટેલના 9 રત્નો કોંગ્રેસનો વિકાસ રૂંધીને બેઠા છે.સાથે જ કહ્યુ કે અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી કોંગ્રેસ પક્ષ ઉપર નહી આવે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

 

દિનેશ શર્માએ એમ પણ જણાવ્યુ કે ચૂંટણી નજીક આવી રહી છે, પણ કોંગ્રેસ પાસે એકપણ બુથની યાદી તૈયાર નથી. કોંગ્રેસ માત્રને માત્ર વાતો જ કરે છે. દિનેશ શર્માએ એવા પણ આક્ષેપ કર્યા તે જો પોતાનું ઘર જ સંભાળાતુ નથી. તો ગુજરાતમાં કોંગ્રેસ લાવવાની વાતો કેવી રીતે કરે છે. તેમણે કહ્યુ કે દિશાવિહીન થયેલી કોંગ્રેસને હું છોડુ છું. હુ મારા જીવનની એકપણ ક્ષણ બગાડ્યા વગર આગળ દોડીશ.

મહત્વનું છે કે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા(Dinesh Sharma)એ પણ રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી દિનેશ શર્માએ રાજીનામુ આપ્યુ છે. દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ હતા. 21મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરી તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો-

કોંગ્રેસે લગાવેલા 500 કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે વિજય રૂપાણીની સ્પષ્ટતા, ટ્વિટ કરી કહ્યુ ”મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર”

આ પણ વાંચો-

Kutch: ગાંધીધામ પોલિસે ગણતરીનાં દિવસમાં ચોરાયેલો મુદ્દામાલ રીકવર કરી વેપારીને પરત કર્યો, DGPએ બિરદાવી કામગીરી

Published On - 12:42 pm, Wed, 23 February 22

Next Article